Google search engine
Home Blog Page 4

TCS 12 હજાર કર્મચારીઓની છટણી કરશેઃ આઈટી સેક્ટરમાં જોબ કેમ જઈ રહી છે?

0

[ad_1]

બીબીસી ગુજરાતી ટીસીએસ સોફ્ટવેર આઈટી ઇન્ડસ્ટ્રી છટણી એન્જિનિયર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઈટી ઉદ્યોગે ભારતમાં વ્હાઇટ કૉલર જોબ પેદા કરવામાં મોટું યોગદાન આપ્યું છે જેનાથી એક નવો મધ્યમ વર્ગ સર્જાયો છે

ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી સેક્ટરની ટોચની કંપની ટીસીએસએ એક સાથે 12 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો તેના કારણે જૉબમાર્કેટમાં હલચલ મચી ગઈ છે.

ટીસીએસ એ ભારતની સૌથી મોટી આઈટી નિકાસકાર છે અને કંપનીએ એક વર્ષના ગાળામાં પોતાના બે ટકા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે.

ટીસીએસની આ જાહેરાતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સોમવારે ટીસીએસનો શેર બે ટકા જેટલો ઘટ્યો હતો. તેની સાથે સાથે ઈન્ફોસિસ, વિપ્રો સહિતની આઈટી કંપનીઓના શેર પણ ઘટ્યા હતા.

ભારતની 283 અબજ ડોલરની સૉફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં આ એક મોટા સમાચાર છે કારણ કે હૈદરાબાદ, બેંગલુરુ, પૂણે જેવાં શહેરોમાં વ્હાઇટ કૉલર જોબ ઊભી કરવામાં આ ઉદ્યોગે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આઈટી કંપનીમાં છટણીનું કારણ શું છે?

બીબીસી ગુજરાતી ટીસીએસ સોફ્ટવેર આઈટી ઈન્ડસ્ટ્રી છટણી એન્જિનિયર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય આઈટી ઉદ્યોગમાં ફ્રેશ ગ્રેજ્યુએટ્સની ભરતીમાં તાજેતરમાં ઘટાડો થયો છે

ઇકોનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે જૂન 2025ના આંકડા મુજબ ટીસીએસમાં 6.13 લાખથી વધારે કર્મચારી કામ કરતા હતા.

થોડાં વર્ષ અગાઉ સુધી ભારતીય આઈટી કંપનીઓ દર વર્ષે લગભગ છ લાખ નવા ગ્રેજ્યુએટ્સની ભરતી કરતી હતી, પરંતુ છેલ્લાં બે વર્ષમાં આ સંખ્યા ઘટીને 1.50 લાખ સુધી રહી ગઈ છે તેમ ટીમલીઝ ડિજિટલ જણાવે છે.

ટીસીએસનું કહેવું છે કે કંપનીને ભવિષ્ય માટે સજ્જ કરવા આ નિર્ણય લેવાયો છે. ભારતમાં ટીસીએસ જેવી કંપનીઓ પોતાના ગ્લોબલ ક્લાયન્ટ માટે સૉફ્ટવેરનું ઉત્પાદન કરવા નીચા ખર્ચના લેબર પર આધાર રાખે છે.

એવું માનવામાં આવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના આગમનના કારણે આઈટી ઇન્ડસ્ટ્રીમાં એવાં ઘણાં કામો છે જેના માટે કર્મચારી રાખવાની જરૂર નથી રહી.

જોકે, ટીસીએસના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર કે ક્રિથિવાસને મનીકન્ટ્રોલને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે એઆઈના કારણે કર્મચારીઓની છટણી થાય છે તે વાત ખરી નથી.

તેમણે કહ્યું હતું કે “સ્કીલ મિસમૅચ થાય તેવા કિસ્સામાં છટણી કરવી પડે છે. ટીસીએસને મજબૂત બનાવવા આ જરૂરી હતું.”

આઈટી ક્ષેત્રે પડકાર અને તક

બીબીસી ગુજરાતી ટીસીએસ સોફ્ટવેર આઈટી ઈન્ડસ્ટ્રી છટણી એન્જિનિયર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ઇમેજ સ્રોત, Tejinder Oberoi

ઇમેજ કૅપ્શન, સિગ્નેટ ઇન્ફોટેકના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તેજિંદર ઑબરોય કહે છે કે આઈટી ઉદ્યોગમાં નવા પડકાર અને તક બંને છે

આઈટી ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગના કારણે ક્લાયન્ટ નીચા ખર્ચે ડીલ કરવા પ્રયાસ કરે છે જેથી કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા પ્રેરાય છે.

બેંગલુરુ, હૈદરાબાદ અને પૂણે જેવાં શહેરોમાં તેની અસર જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં આ ઉદ્યોગમાં 50 હજાર લોકોએ જૉબ ગુમાવી છે તેમ ઓઆરફના એક અહેવાલ કહે છે. આ ઉપરાંત ભારતની ટોચની છ આઈટી સર્વિસિસ કંપનીઓમાં કર્મચારીઓની ચોખ્ખી ભરતીમાં 72 ટકાનો ઘટાડો થયો છે.

આઈટી સેક્ટરની કંપનીઓ માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ચેલેન્જ પણ પેદા કરે છે અને નવું શીખનારને તક પણ આપે છે.

અમદાવાદસ્થિત ટેકનૉલૉજી કંપની સિગ્નેટ ઇન્ફોટેકના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તેજિંદર ઑબરૉયે બીબીસીને જણાવ્યું કે, “ભારતીય સૉફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં ઘણાં કામો કલાકના રેટ પર થાય છે. ઘણી વિદેશી કંપનીઓ પ્રોજેક્ટ સોંપે છે અને માનવ કલાકો મુજબ તેનું બિલ કરવામાં આવે છે. ટેકનૉલૉજી અપગ્રેડ થવાના કારણે તે જ કામ કરવા માટે ત્રીજા ભાગ અથવા પાંચમા ભાગના લોકોની જરૂર પડે છે. તેથી કલાક દીઠ બિલિંગનાં કામમાં માણસોની જરૂરિયાત ઘટી જશે.”

તેમણે કહ્યું કે, “હવે કોડ રાઇટિંગનું ઘણું કામ AIથી થાય છે, ટેસ્ટિંગ પણ AIની મદદથી થઈ શકે છે. તેવી જ રીતે ડિઝાઇનિંગ અને ડૉક્યુમેન્ટેશનનું કામ પણ થાય છે. તેના કારણે ટેસ્ટર્સ, કોડર્સ, કે ડેવલપર્સની ટીમની સાઇઝ ઘણી ઘટી જાય છે. લગભગ 40 ટકા સુધી મેનપાવરની જરૂરિયાત ઘટી જશે.”

અમદાવાદસ્થિત દેવ ઇન્ફોર્મેશન ટેકનૉલૉજીના કો-ફાઉન્ડર અને ચૅરમૅન પ્રણવ પંડ્યા પણ માને છે કે “આઈટી ઉદ્યોગ એકદમ ડાયનેમિક છે જેમાં ઘણી બધી ચીજો બદલાતી રહે છે. તેથી તે મુજબ સ્કીલને અપગ્રેડ કરવી જરૂરી છે. આપણે મેન્યુઅલ કારથી ઑટોમેટિક કાર તરફ આવ્યા. હવે ઇલેક્ટ્રિક વ્હિકલનો જમાનો છે. ડ્રાઇવર અનુભવી હોવા છતાં તેમણે નવી સ્કીલ શીખવી પડે. તેવું જ આઈટી ઉદ્યોગમાં પણ છે.”

બીબીસી સાથે વાત કરતા પ્રણવ પંડ્યાએ કહ્યું કે “આઈટી ઉદ્યોગમાં ઘણાં કામોમાં ઑટોમેશન આવી રહ્યું છે. તેની સાથે નવી નવી સ્કીલ ધરાવતા લોકોની પણ જરૂર પડે છે. જ્યારે તે જરૂરિયાત મુજબના માણસો ન હોય ત્યારે છટણી કરવી પડે છે.”

નવી ટેકનૉલૉજીથી સજ્જ લોકોની ડિમાન્ડ વધશે

બીબીસી ગુજરાતી ટીસીએસ સોફ્ટવેર આઈટી ઈન્ડસ્ટ્રી છટણી એન્જિનિયર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ઇમેજ સ્રોત, Pranav Pandya

ઇમેજ કૅપ્શન, દેવ ઇન્ફોર્મેશન ટેકનૉલૉજીના ચૅરમૅન પ્રણવ પંડ્યાના મતે આઈટી ઉદ્યોગ એકદમ ડાયનેમિક છે, તેમાં સતત ફેરફારો આવતા રહે છે.

ભારતમાં આઈટી ઇન્ડસ્ટ્રીના સંગઠન નાસકૉમ પ્રમાણે ભારતને 2026 સુધીમાં 10 લાખ AI નિષ્ણાતોની જરૂર પડશે, પરંતુ હાલમાં 20 ટકાથી પણ ઓછા આઈટી પ્રોફેશનલો એઆઈની સ્કીલ ધરાવે છે.

તેજિંદર ઑબરોયે જણાવ્યું કે, “આઈટી ઉદ્યોગમાં હવે કેટલાક ટાસ્ક વધવાના છે, જેમાં એનાલિસિસ, ડિઝાઇનિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગમાં સબ્જૅક્ટ મેટરની સમજણ ધરાવતા અને નવી ટેકનૉલૉજીથી સજ્જ લોકોની ડિમાન્ડ વધશે. કલાકના દરથી બિઝનેસ કરતી આઈટી કંપનીઓને ચોક્કસ પ્રેશર આવશે, તેમાં મેનપાવરની જરૂરિયાત ઘટશે.”

તેઓ કહે છે કે, “નવા પાસ આઉટ થયેલા ઉમેદવારોને નવી ટેકનૉલૉજી આવડે છે, જૂના કર્મચારીઓ પાસે અનુભવ છે. હા, જેઓ નવી ટેકનૉલૉજી અપનાવી શકતા નથી તેમને છોડવા પડશે અને નવી ટેકનૉલૉજી જાણનારાને હાયર કરવા પડશે. રિપિટિટિવ ટાસ્ક દૂર થઈ રહ્યા છે. ઇન્ટેલિજન્ટ લેબર વર્કમાં ઘટાડો થવાનો જ છે.”

તેજિંદર ઑબરોયના મતે “નવી ટેકનૉલૉજી શીખીને આવનારા યુવાનો માટે આ એક તક છે.”

તેઓ કહે છે કે “જેઓ આઠ-10 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છે અને પોતાને અપગ્રેડ કરી શકતા નથી તેમના માટે જોખમ છે. બાકી જેટલા લોકોને છુટા કરવામાં આવે છે તેની સામે નવા લોકોને લેવા પણ પડશે.”

પ્રણવ પંડ્યા પણ કહે છે કે, “AI માટે સજ્જ કર્મચારીઓ તૈયાર કરવામાં ભારત સંખ્યાની દૃષ્ટિએ ઘણું આગળ છે તેથી આવી છટણી થાય ત્યાર પછી પણ પુષ્કળ કામ મળી રહેવાનું છે.”

કામ નહીં તો જૉબ નહીં

બીબીસી ગુજરાતી ટીસીએસ સોફ્ટવેર આઈટી ઈન્ડસ્ટ્રી છટણી એન્જિનિયર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ઇમેજ સ્રોત, Getty Images

દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ કંપની જેફરીઝે એક નોટમાં જણાવ્યું છે કે કર્મચારીઓની છટણી કરવાના નિર્ણયથી ટીસીએસ પર લાંબા ગાળે નેગેટિવ અસર પડી શકે છે. છેલ્લા ત્રણ મહિનામાં ટીસીએસે ત્રીજી વખત ખર્ચ ઘટાડવાનું પગલું લીધું છે.

અગાઉ ટીસીએસે એપ્રિલ 2025માં પગારવધારો મુલતવી રાખ્યો હતો અને જૂન 2025માં નવી બેન્ચિંગ ગાઇડલાઇન નક્કી કરી હતી.

જ્યારે કોઈ કર્મચારીને કોઈ ક્લાયન્ટના પ્રોજેક્ટનું કામ સોંપવામાં ન આવે ત્યારે તેમને બૅન્ચ પર રાખવામાં આવે છે. આ દરમિયાન તેમનો પગાર ચાલુ રહે છે.

ટીસીએસે આ પિરિયડ ઘટાડીને વર્ષમાં 35 દિવસ કર્યો છે. એટલે કે 35 દિવસથી વધુ સમય સુધી કર્મચારી કોઈ પ્રોજેક્ટ પર સક્રિય ન હોય તો તેને છૂટા કરવામાં આવે તેવી શક્યતા વધી જાય છે.

છટણીના નિર્ણયના કેવા પ્રત્યાઘાત આવ્યા?

બીબીસી ગુજરાતી ટીસીએસ સોફ્ટવેર આઈટી ઈન્ડસ્ટ્રી છટણી એન્જિનિયર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં એઆઈ માટે સક્ષમ પ્રોફેશનલોની ખાસ ડિમાન્ડ છે

તાજેતરમાં જ ઇન્ફોસિસ જેવી મોટી કંપનીએ પણ છટણીનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી હવે ટીસીએસ હજારો લોકોને છૂટા કરવા જઈ રહી છે જેના કારણે આઈટી સેક્ટરમાં ચિંતાનો માહોલ છે.

આઈટી સેક્ટરના કામદારોના યુનિયન નાસન્ટ ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી ઍમ્પ્લોયીઝ સેનેટ (NITES)એ શ્રમમંત્રી મનસુખ માંડવિયાને એક પત્ર લખીને અપીલ કરી છે કે આ છટણીને અટકાવવામાં આવે.

નાઇટ્સે કહ્યું છે કે આ છટણી ગેરકાયદે છે. નાઇટ્સનું કહેવું છે કે આનાથી ખોટી પ્રથા પડશે, રોજગારીમાં અનિશ્ચિતતા સર્જાશે અને ભારતના શ્રમ માર્કેટમાં ભરોસો ઘટશે.

અગાઉ આઈટી સેક્ટરની કંપની ઇન્ફોસિસે પોતાના મૈસુર કૅમ્પસમાંથી 300થી વધુ ટ્રેઇનીની છટણી કરી ત્યારે પણ નાઇટ્સે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.

તેવી જ રીતે આઈટી/બીપીઓ અને ટેલિકૉમ ક્ષેત્રના કર્મચારીઓ માટેના ફોરમ ફૉર આઈટી ઍમ્પ્લોયીઝ (FITE)એ પણ ટીસીએસ ખાતે હજારો કર્મચારીઓની છટણીનો વિરોધ કર્યો છે. FITEએ આ છટણીને કર્મચારીઓના અધિકાર અને ગરિમાનો ભંગ ગણાવ્યો છે. તેનો દાવો છે કે ટીસીએસ કોઈ નાણાકીય દબાણમાં નથી છતા છટણી કરી રહી છે.

FITE એ કહ્યું છે કે ટીસીએસે કર્મચારીઓને નોટિસ પિરિયડનું વળતર, સિવિયરન્સ પેકેજિસ અને 12 મહિના માટે હેલ્થ ઇન્સ્યૉરન્સ આપવું જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

હવામાન સમાચાર : ગુજરાત નજીક બનેલી સિસ્ટમથી આ રાજ્યોમાં સતત વરસાદ, ગુજરાતનું હવામાન કેવું રહેશે?

0

[ad_1]

વીડિયો કૅપ્શન, ગુજરાત નજીક બનેલી સિસ્ટમથી આ રાજ્યોમાં સતત વરસાદ, ગુજરાતનું હવામાન કેવું રહેશે?

ગુજરાત નજીક બનેલી સિસ્ટમથી આ રાજ્યોમાં સતત વરસાદ, ગુજરાતનું હવામાન કેવું રહેશે?

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદનું જોર હવે ઘટશે.

સોમવારે ગુજરાત-ઉત્તર કેરળ દરિયાકાંઠે દરિયાઈ સપાટી પરનો ઑફ-શૉર ટ્રોફ ઓછો ચહ્નિત થયો છે.

ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડમાં બનાસકાંઠા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડી ગયો છે.

હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે જેમાં બનાસકાંઠા અગ્રેસર છે.

આ ઉપરાંત આણંદ અને ખેડામાં પણ ભારે વરસાદ પડ્યો છે. ડાંગ, પંચમહાલ, સુરત, પાટણ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ નોંધાયો છે.

અમદાવાદ સ્થિત હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનને સ્પર્શ કરતા વિસ્તાર પર લો-પ્રેશર સર્જાયું છે. આ પ્રેશર એરિયા સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે.

ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર પર એક ટ્રોફ રચાયો છે જે ગુજરાત, પૂર્વ રાજસ્થાન પરથી પસાર થઈને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચે છે. હાલમાં શ્રી ગંગાનગર, ઝુંઝુણુ, ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પટણા, ડેલ્ટનગંજ, પુરુલિયાથી થઈને બંગાળની ખાડી સુધી એક મોન્સુન ટ્રોફની રચના થઈ છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં ચોમાસાના જોરમાં ઘટાડો થયો હોય તેવું જણાય છે. જોકે, 29 જુલાઈ, મંગળવારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ દરમિયાન રાજ્યમાં પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

30 અને 31 જુલાઈએ પણ આ તમામ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે જે દરમિયાન પવનની મહત્તમ ઝડપ 40 કિમી પ્રતિ કલાક રહેશે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 14.7 મીમી, અમદાવાદમાં 57.3 મીમી, આણંદમાં 73.4 મીમી, અરવલ્લીમાં 15.8 મીમી, બનાસકાંઠામાં 20.5 મીમી અને ભરુચમાં સરેરાશ 23 મીમી વરસાદ નોંધાયો છે.

છોટા ઉદેપુર જિલ્લામાં સરેરાશ 46.2 મીમી, ડાંગમાં 45.4 મીમી, ખેડામાં 130 મીમી, નર્મદામાં 32.7, નવસારીમાં 36.8, પંચમહાલમાં 38.3, પાટણમાં 25.1 મીમી વરસાદ નોંધાયો છે.

વડોદરા જિલ્લામાં 31 મીમીથી વધારે વરસાદ પડ્યો છે એવું હવામાન વિભાગના ડેટા દર્શાવે છે.

સોમવારે સવારથી જ ગુજરાતમાં ખેડા, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદ પડવા લાગ્યો હતો જેના કારણે ઘણી જગ્યાએ જનજીવનને અસર થઈ હતી.

બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડીસા તાલુકાનાં હજારો ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયાં છે. એક ગામને બીજા ગામ સાથે જોડતા રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

ખેડામાં ઉમરેઠને ડાકોરથી જોડતો એક જૂનો પુલ બંધ કરવો પડ્યો હતો. શેઢી નદીનાં પાણીની સપાટી વધી જવાથી ટ્રાફિકને ડાઇવર્ટ કરવો પડ્યો હતો.

ખેડામાં મહુધા કોર્ટ કૅમ્પસ, તાલુકા પંચાયત મામલતદાર કચેરી અને મહુધા પોલીસ મથકમાં વરસાદી પાણી ઘૂસી ગયાં હતાં.

મહુધા પોલીસ મથકમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયાં હતાં.

તેવી જ રીતે મહેમદાવાદ તાલુકામાં નવ ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ઘણી જગ્યાએ લોકોએ અવરજવર માટે ટ્રૅક્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.

ધોળકા તાલુકામાં સરોડા ગામમાં ઢીંચણ સુધી પાણી ભરાયાં હતાં.

ગુજરાતમાં શ્રીકાર વરસાદના કારણે રાજ્યોના ડૅમમાં નવા પાણી આવી રહ્યાં છે. એક સરકારી આંકડા પ્રમાણે ગુજરાતના કુલ 207 નાના-મોટા ડૅમમાંથી 30 ડેમ છલકાઈ ગયાં છે.

તેમાં મધ્ય ગુજરાતના ત્રણ, સાઉથ ગુજરાતના પાંચ, અને કચ્છના પાંચ ડૅમ છલકાયા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 141 ડૅમ છે જેમાંથી 17 છલકાઈ ગયા છે. ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ અત્યાર સુધીમાં 65 ટકા ભરાયો છે.

ચોમાસું, પાણી, વરસાદ, રેલ, પૂર, ગુજરાત, હવામાન સમાચાર, દીપક ચુડાસમા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

‘ઑપરેશન મહાદેવ’ : ‘પહલગામ હુમલાના ત્રણેય આતંકવાદીઓને ઠાર મરાયા છે’, અમિત શાહે તેમની ઓળખ વિશે શું કહ્યું?

0

[ad_1]

અમિત શાહ, ઑપરેશન મહાદેવ, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, લોકસભામાં ચર્ચાની શરૂઆતમાં જ ગૃહમંત્રી અમિત શાહે સદનમાં ઘોષણા કરી કે પહલગામના હુમલામાં સામેલ ત્રણ ચરમપંથીઓને સુરક્ષાદળોએ ‘ઑપરેશન મહાદેવ’ અંતર્ગત ઠાર માર્યા છે.

લોકસભામાં પહલગામ હુમલા અને ઑપરેશન સિંદૂર પર ચર્ચાનો મંગળવારે બીજો દિવસ છે. આ ચર્ચાની શરૂઆત ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. ચર્ચાની શરૂઆતમાં જ ગૃહમંત્રીએ સદનમાં ઘોષણા કરી કે પહલગામના હુમલામાં સામેલ ત્રણ ચરમપંથીઓને સુરક્ષાદળોએ ‘ઑપરેશન મહાદેવ’ અંતર્ગત ઠાર માર્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે ચર્ચાની શરૂઆતમાં સદનમાં કહ્યુ, “પહલગામમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી. ધર્મ પૂછીને તેમના પરિવારની સામે મારવામાં આવ્યા. બર્બરતાથી તેમની સાથે આમ કરવામાં આવ્યું. તેની હું ઘોર નિંદા કરું છું.”

‘ઑપરેશન સિંદૂર’ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે સ્વાભાવિક છે કે આ પ્રકારની નૃશંસ ઘટના પર ચર્ચા અને ચિંતન આવશ્યક છે. સાથે આ પ્રકારની ઘટના બીજી વખત ન થાય તેની વ્યવસ્થાની ચિંતા પણ થવી જોઈએ.

આ દરમિયાન તેમણે ‘ઑપરેશન મહાદેવ’નો પણ ઉલ્લેખ કર્યો. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ‘ઑપરેશન મહાદેવ’ની પણ જાણકારી આપવા માગે છે.

આ વિશે જાણકારી આપતાં તેમણે કહ્યું, “કાલે ઑપરેશન મહાદેવમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ જટ, અફઘાન અને જિબ્રાન નામના આતંકવાદીઓને સેના, સીઆરપીએફ અને પોલીસના સંયુક્ત અભિયાનમાં ઠાર મારવામાં આવ્યા છે. સુલેમાન લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો. જે પહેલગામ તથા ગગનહીર હુમલામાં સામેલ હતો. અફઘાન અને જિબ્રાન પણ લશ્કર-એ-તૈયબાનો ‘એ’ ગ્રેડના આતંકી હતા.”

“બેસરન ખીણના હુમલામાં આ ત્રણેય આતંકવાદી સામેલ હતા. અને ત્રણેયને મારી નાખવામાં આવ્યા છે. સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને ઘણો સાધૂવાદ આપવા માગુ છું. ત્રણેય આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે.”

કેવી રીતે આ ઑપરેશન પાર પાડ્યું?

અમિત શાહ, ઑપરેશન મહાદેવ, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, ANI

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં પહલગામ હુમલા બાદ ચરમપંથીઓની ધરપકડ માટે થયેલી સમગ્ર કાર્યવાહી વિશે વિગતવાર માહિતી આપી હતી.

તેમણે કહ્યું, “ઑપરેશન મહાદેવની શરૂઆત 22 મે 2025ના રોજ થઈ હતી. પહલગામમાં જે દિવસે હત્યા થઈ, એ જ રાત્રે જમ્મુ-કાશ્મીરમાં એક સુરક્ષા બેઠક યોજાઈ હતી.”

તેમના જણાવ્યા પ્રમાણે એક વાગ્યે હુમલો થયો અને તેઓ સાડા પાંચ વાગ્યે શ્રીનગરમાં પહોંચી ગયા હતા. 23 એપ્રિલે એક સુરક્ષા બેઠક યોજાઈ હતી. સૌથી પહેલા એમાં નિર્ણય લેવાયો કે જે ક્રૂર હત્યારા છે, તેઓ દેશ છોડીને ન ભાગી શકે.

“22 મેના રોજ IB પાસે એક ગુપ્તચરની માહિતી આવી, જેમાં ઢાંચીગામ વિસ્તારમાં ની હાજરીની જાણકારી મળી. મે થી 22 જુલાઈ સુધી આ માહિતીની પુષ્ટિ કરવા સતત પ્રયાસો કરવામાં આવ્યા.”

તેમણે ઑપરેશન વિશે વધુમાં જાણકારી આપતાં કહ્યું કે “કુલ મળીને ગઈકાલે જે ઑપરેશન થયું તેમાં અમારા નિર્દોષ લોકોને મારનાર ત્રણેય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા.”

“આ તો માત્ર આશંકા હતી કે તેમણે ઘટના અંજામ આપી, પરંતુ NIAએ પહેલાથી જ તેમને આશરો આપનારાઓને, ખોરાક પહોંચાડનારાઓને પકડી લીધા હતા.”

“અમે કોઈ ઉતાવળ નથી કરી. અમે આતંકી ઘટનાસ્થળેથી જે કારતૂસ મળ્યા તેનો FSL રિપોર્ટ પહેલેથી તૈયાર રાખ્યો હતો. ગઈકાલે જ્યારે આ ત્રણ આતંકવાદી માર્યા ગયા, તેમની ત્રણ રાઇફલો મળી, જે કારતૂસ મળ્યા તે આ રાઇફલોના જ હતા.”

(વિપક્ષના હોબાળા બાદ) “હું તો અપેક્ષા રાખતો હતો કે જ્યારે આ માહિતી સાંભળશો ત્યારે પક્ષ-વિપક્ષમાં આનંદની લહેર દોડશે, પણ તેમના ચહેરા પર તો નિરાશા છવાઈ ગઈ. આતંકવાદી માર્યા ગયા, તમને તેનો પણ આનંદ નથી. તમે આતંકવાદીઓનો ધર્મ જોઈને દુઃખી ન થાઓ.”

“1055 લોકો પાસેથી 3000 કલાકથી વધુ સમયની પૂછપરછ કરવામાં આવી. તેના આધારે સ્કેચ તૈયાર કરવામાં આવ્યો.”

“શોધખોળ દરમિયાન એ બે લોકોની ઓળખ થઈ, જેમણે આતંકવાદીઓને રહેવાની જગ્યા આપી હતી. તેમને ધરપકડ કરવામાં આવી છે. તેઓ હાલમાં કસ્ટડીમાં છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ગુજરાત પર હજી સિસ્ટમની અસર : આ જિલ્લામાં પડશે ભારે વરસાદ પરંતુ હવે આ જિલ્લામાં ઘટશે વરસાદનું જોર

0

[ad_1]

ચોમાસું, ગુજરાત, વરસાદ, પાક, ખેતી, ખેતર, ખેડૂત, પૂર, રેલ, બીબીસી ગુજરાતી ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદનું જોર હવે ઘટશે.

સોમવારે ગુજરાત-ઉત્તર કેરળ દરિયાકાંઠે દરિયાઈ સપાટી પરનો ઑફ-શૉર ટ્રોફ ઓછો ચહ્નિત થયો છે.

ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડમાં બનાસકાંઠા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડી ગયો છે.

હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે જેમાં બનાસકાંઠા અગ્રેસર છે.

આ ઉપરાંત આણંદ અને ખેડામાં પણ ભારે વરસાદ પડ્યો છે. ડાંગ, પંચમહાલ, સુરત, પાટણ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ નોંધાયો છે.

અમદાવાદ સ્થિત હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનને સ્પર્શ કરતા વિસ્તાર પર લો-પ્રેશર સર્જાયું છે. આ પ્રેશર એરિયા સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે.

ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર પર એક ટ્રોફ રચાયો છે જે ગુજરાત, પૂર્વ રાજસ્થાન પરથી પસાર થઈને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચે છે. હાલમાં શ્રી ગંગાનગર, ઝુંઝુણુ, ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પટણા, ડેલ્ટનગંજ, પુરુલિયાથી થઈને બંગાળની ખાડી સુધી એક મોન્સુન ટ્રોફની રચના થઈ છે.

ગુજરાતમાં હવે કઈ જગ્યાએ વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ પાણી પૂર વેધર અપડેટ બનાસકાંઠા ખેડા

ઇમેજ સ્રોત, IMD

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં ચોમાસાના જોરમાં ઘટાડો થયો હોય તેવું જણાય છે. જોકે, 29 જુલાઈ, મંગળવારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ દરમિયાન રાજ્યમાં પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ પાણી પૂર વેધર અપડેટ બનાસકાંઠા ખેડા

ઇમેજ સ્રોત, paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠામાં અમીરગઢ પાસે બનાસ નદીમાં ટ્રૅક્ટર ફસાયું હતું.

30 અને 31 જુલાઈએ પણ આ તમામ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે જે દરમિયાન પવનની મહત્તમ ઝડપ 40 કિમી પ્રતિ કલાક રહેશે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 14.7 મીમી, અમદાવાદમાં 57.3 મીમી, આણંદમાં 73.4 મીમી, અરવલ્લીમાં 15.8 મીમી, બનાસકાંઠામાં 20.5 મીમી અને ભરુચમાં સરેરાશ 23 મીમી વરસાદ નોંધાયો છે.

છોટા ઉદેપુર જિલ્લામાં સરેરાશ 46.2 મીમી, ડાંગમાં 45.4 મીમી, ખેડામાં 130 મીમી, નર્મદામાં 32.7, નવસારીમાં 36.8, પંચમહાલમાં 38.3, પાટણમાં 25.1 મીમી વરસાદ નોંધાયો છે.

વડોદરા જિલ્લામાં 31 મીમીથી વધારે વરસાદ પડ્યો છે એવું હવામાન વિભાગના ડેટા દર્શાવે છે.

ભારે વરસાદના કારણે જનજીવનને અસર

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ પાણી પૂર વેધર અપડેટ બનાસકાંઠા ખેડા

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, દાંતા તાલુકાના મંડારા વાસનાં બાળકોએ ગોઠણબૂડ પાણીમાં નદી પાર કરવી પડી હતી.

સોમવારે સવારથી જ ગુજરાતમાં ખેડા, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદ પડવા લાગ્યો હતો જેના કારણે ઘણી જગ્યાએ જનજીવનને અસર થઈ હતી.

બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડીસા તાલુકાનાં હજારો ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયાં છે. એક ગામને બીજા ગામ સાથે જોડતા રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

ખેડામાં ઉમરેઠને ડાકોરથી જોડતો એક જૂનો પુલ બંધ કરવો પડ્યો હતો. શેઢી નદીનાં પાણીની સપાટી વધી જવાથી ટ્રાફિકને ડાઇવર્ટ કરવો પડ્યો હતો.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ પાણી પૂર વેધર અપડેટ બનાસકાંઠા ખેડા

ઇમેજ સ્રોત, Nachiket Mehta

ઇમેજ કૅપ્શન, ખેડામાં મહુધા તાલુકા પંચાયત કચેરી અને પોલીસ મથકમાં વરસાદના પાણી ઘૂસી ગયાં હતાં

ખેડામાં મહુધા કોર્ટ કૅમ્પસ, તાલુકા પંચાયત મામલતદાર કચેરી અને મહુધા પોલીસ મથકમાં વરસાદી પાણી ઘૂસી ગયાં હતાં.

મહુધા પોલીસ મથકમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયાં હતાં.

તેવી જ રીતે મહેમદાવાદ તાલુકામાં નવ ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ઘણી જગ્યાએ લોકોએ અવરજવર માટે ટ્રૅક્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.

ધોળકા તાલુકામાં સરોડા ગામમાં ઢીંચણ સુધી પાણી ભરાયાં હતાં.

ગુજરાતના ડૅમ કેટલા છલકાયાં?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ પાણી પૂર વેધર અપડેટ બનાસકાંઠા ખેડા

ઇમેજ સ્રોત, Nachiket Mehta

ઇમેજ કૅપ્શન, ખેડાનાં ઘણાં ગામોમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે.

ગુજરાતમાં શ્રીકાર વરસાદના કારણે રાજ્યોના ડૅમમાં નવા પાણી આવી રહ્યાં છે. એક સરકારી આંકડા પ્રમાણે ગુજરાતના કુલ 207 નાના-મોટા ડૅમમાંથી 30 ડેમ છલકાઈ ગયાં છે.

તેમાં મધ્ય ગુજરાતના ત્રણ, સાઉથ ગુજરાતના પાંચ, અને કચ્છના પાંચ ડૅમ છલકાયા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 141 ડૅમ છે જેમાંથી 17 છલકાઈ ગયા છે. ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ અત્યાર સુધીમાં 65 ટકા ભરાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

‘લાડલી બહેન યોજના’નો લાભ હજારો ભાઈઓને કેવી રીતે મળી ગયો?

0

[ad_1]

લાડલી બહન યોજના, પુરુષો, કૌભાંડ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં ‘લાડલી બહન યોજના’ શરૂ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં વર્ષ 2024 વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની મહાયુતિ ગઠબંધનની જીતનાં ઘણાં કારણો હતાં. આ કારણો પૈકી એક કારણ હતું ‘લાડલી બહિન યોજના.’

હવે આ યોજનાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હવે મહાયુતિ સરકારના મંત્રીઓએ પણ સ્વીકાર કર્યો છે કે ‘બહેનો’ માટે બનેલી આ યોજનાનો લાભ કેટલાક ‘પુરુષો’એ પણ ઉઠાવી દીધો છે. તેમનાં ખાતામાં પણ આ યોજનાના પૈસા જમા થયા હોવાની માહિતી બહાર આવી છે.

મહારાષ્ટ્ર સરકારમાં મહિલા તથા બાળવિકાસ મંત્રી અદિતિ તટકરે આ મામલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું, “એ જોવા મળ્યું છે કે કેટલાક લાભાર્થી એકથી વધુ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. કેટલાક પરિવારોમાં બેથી વધુ લાભાર્થી છે અને તે પૈકી કેટલાક પુરુષોએ પણ આવેદન આપ્યું છે.”

ઉપમુખ્ય મંત્રી અને નાણામંત્રી અજિત પવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે “આ યોજના ગરીબ બહેનોની મદદ માટે શરૂ કરી હતી. જો, કોઈકે તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો હશે, તો અમે કાર્યવાહી કરીશું. એવું કહેવાય છે કે કેટલાક પુરુષોએ પણ તેનો લાભ લીધો છે. જો આ સત્ય છે, તો અમે તેમની પાસે પૈસા વસુલ કરીશું.”

’14 હજાર પુરુષોએ આ યોજનાનો લાભ ઉઠાવ્યો’

લાડલી બહન યોજના, પુરુષો, કૌભાંડ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં લાગુ કરવામાં આવેલી ‘મુખ્ય મંત્રી માઝી લાડકી બહિન’ યોજનાના બે કરોડ 52 લાખ લાભાર્થિઓ પૈકી 26 લાખ 34 હજાર જેટલી મહિલાઓને અયોગ્ય ઠેરવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 14, 298 જેટલા પુરુષોએ પણ આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે.

અદિતિએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે મહિલા બાળવિકાસ વિભાગે ‘મુખ્ય મંત્રી માઝી લાડકી બહિન’ યોજના અંતર્ગત આવેદકોની ઓળખ કરવા માટે સરકારી વિભાગો પાસે જાણકારી માગવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે કેટલાક લાભાર્થી એકથી વધુ યોજનાઓનો લાભ ઉઠાવી રહ્યા છે અને કેટલાક પરિવારોમાં બેથી વધુ લાભાર્થી છે.

આ જાણકારીના આધારે 26.34 લાખ અરજીકર્તાઓને મળનારા લાભ જૂન-2025થી અસ્થાયીરૂપે બંધ કરવામાં આવ્યા છે.

અદિતિ તટકરેએ કહ્યું કે, જે 26.34 લાખ લાભાર્થીઓના લાભ અસ્થાયીરૂપે બંધ કરવામાં આવ્યા છે એની જાણકારી સંબંધિત જિલ્લા કલેકટરો દ્વારા ચકાસણી કરવામાં આવશે અને જે લાભાર્થી છે એમને મળનારા લાભ ફરી પાછા શરૂ કરવામાં આવશે.

અદિતિ તટકરેએ એમ પણ કહ્યું કે, સરકારને ભ્રમિત કરનારા અને ખોટી રીતે લાભ મેળવનારા સામે શું કાર્યવાહી કરવી એ અંગે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી મુખ્ય મંત્રી અજીત પવાર સાથે ચર્ચા કર્યા બાદ સરકાર યોગ્ય નિર્ણય કરશે.

‘લાડલી બહેન’ યોજના માટેના માપદંડો

લાડકી બહેન યોજના, મહારાષ્ટ્ર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલાં ‘લાડકી બહેન’ યોજના શરૂ કરી હતી. આના દ્વારા મહિલાઓનાં ખાતામાં સીધા 1500 રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.

જોકે, હવે ચૂંટણી બાદ કેટલાક માપદંડો અનુસાર એમની પાત્રતા તપાસ્યા બાદ કેટલીક મહિલાઓને આ માટે અયોગ્ય ઘોષિત કરવામાં આવી છે.

ચૂંટણી પહેલાં આવેદન કરનારી મોટાભાગની મહિલાઓને પૈસા મળી ગયા. જોકે મહાયુતિ સરકાર સત્તામાં આવ્યા બાદ લાડકી બહેન યોજના અંતર્ગત આવેદકો માટે કેટલાક માપદંડ ઘડવામાં આવ્યા.

આ માપદંડ આ પ્રકારે હતા:

1) અઢી લાખ રૂપિયાથી ઓછી આવકવાળા હોય એ લોકોને આ યોજનાનો લાભ મળશે. આ માટે સરકારે આવકવેરા વિભાગ પાસેથી જાણકારી માગી છે. આ મુજબ આવેદકોની તપાસ કરવામાં આવશે. અઢી લાખથી વધુ આવક ધરાવતી મહિલાને આ યોજનાનો લાભ નહીં મળે.

2) જો કોઈ લાભાર્થી કોઈ અન્ય સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે તો એમનાં આવેદનો પર પુન: વિચાર કરવામાં આવશે. જો કોઈ લાભાર્થી ‘નમો શેતકરી યોજના’નો લાભ લઈ રહ્યા છે તો એમને આ યોજના આવ્યાના પહેલાથી જ 1000 રૂપિયા મળે છે. તેથી, આવા લાભાર્થીઓને ફક્ત ઉપરના 500 રૂપિયા જ આપવામાં આવશે.

3) ફોર-વ્હીલર ધરાવતી મહિલાઓની અરજીઓની ચકાસણી કરવામાં આવશે. આ માટે પરિવહન વિભાગ પાસેથી માહિતી માંગવામાં આવશે. જો આવી મહિલાઓ લાભ મેળવી રહી હોય, તો તેમને હવે લાભ મળશે નહીં.

4) આધાર કાર્ડ પર અલગ અલગ નામો અને બૅન્કમાં અલગ અલગ નામો ધરાવતી અરજીઓની પણ ચકાસણી કરવામાં આવશે. ઉપરાંત, કેન્દ્ર સરકારની પરવાનગી મળ્યા પછી, આધારનું ઈ- કેવાયસી (E-KYC) પણ કરવામાં આવશે.

5) લગ્ન પછી વિદેશ ગયેલી મહિલાઓ અને સરકારી નોકરી કરીને લાભ મેળવનાર મહિલાઓની અરજીઓની પણ ચકાસણી કરવામાં આવશે.

શું અયોગ્ય લાભાર્થી સહાય પરત કરશે?

 લાડકી બહેન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અત્યાર સુધી આ યોજનાની કુલ 2 કરોડ 34 લાખ મહિલા લાભાર્થી છે. 2 કરોડ 63 લાખ મહિલાઓઓએ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી.

પણ જ્યારે આ અરજીઓને વૅરીફાઈ કરવામાં આવી ત્યારે જણાયું કે માત્ર 2 કરોડ 34 લાખ જેટલી મહિલાઓ જ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય હતી.

એ પ્રમાણે એ જ મહિલાઓને આનો લાભ મળ્યો. નવા આંકડા આવતા પહેલાં લગભગ 16-17 લાખ મહિલાઓ અયોગ્ય હતી.

જે મહિલાઓ શરૂઆતમાં અપાત્ર હતી એ નવા માપદંડો પ્રમાણે પણ અયોગ્ય છે. એમને આ યોજનાનો લાભ નહીં મળે.

અરજીકર્તાઓનું વૅરિફિકેશન હજુ ચાલુ છે. સંભાવના છે કે કેટલીક વધુ મહિલાઓ આ યોજનાથી બહાર થઈ જશે. સરકારની અપીલ બાદ સાડા ચાર હજાર મહિલાઓએે પોતે જ યોજનામાંથી પોતાનું નામ હઠાવી લીધું છે.

આના કારણે યોજના માટે અયોગ્ય મહિલાઓની સંખ્યા વધશે. એટલે જે મહિલા પોતે અરજી કરીને યોજનામાંથી પોતાનું નામ કઢાવી લેશે તેઓ શરૂઆતમાં મળનારી ધનરાશિ પરત કરશે.

પણ એ મહિલા લાભાર્થી કે જેને શરૂઆતમાં કેટલીક રકમ મળી હતી. અને હવે સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર અયોગ્ય થઈ ગઈ છે એ ધનરાશિ પરત કરશે કે કેમ એ મોટો સવાલ છે.

લાડલી બહન યોજના, પુરુષો, કૌભાંડ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FB/ADITI TATKARE

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રનાં મંત્રી અદિતિ તટકરે કહ્યું છે કે અયોગ્ય લોકોને સહાય આપી દેવામાં આવી છે.

આ યોજના પ્રમાણે મહિલાઓ આપવામાં આવેલા પૈસા પરત નહીં લેવામાં આવે તો એની સજા સામાન્ય માણસને ભોગવવી પડશે. શું આ કાયદો યોગ્ય છે? પૈસા પરત ન લેવા કેટલું યોગ્ય છે? આ પ્રકારના સવાલો પર ચર્ચા ચાલી રહી છે.

બીબીસીએ આ પહેલા પૂર્વ સિવિલ સર્વન્ટ ઈ. ઝેડ. ખોબરાગડેનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. જેમાં એમણે તમામ સવાલોના વિગતે જવાબ આપ્યા હતા.

તેમણે કહ્યું, “શરૂઆતથી જ લાડકી બહિન યોજના માટે માપદંડ હતા, જે આ યોજનાનો લાભ આપતા પહેલાં તપાસવા જોઈતા હતા. મૂળભૂત રીતે સરકારની ભૂલ હતી કે ચૂંટણી પહેલાં વધુ માપદંડો લાદ્યા વિના આ યોજનાનો લાભ આપવામાં આવ્યો.”

“એવું ન કહી શકાય કે આ યોજનાનો લાભ દરેકને મળ્યો. જોકે, રાજકીય પક્ષોને તેનો ફાયદો થયો. જે લોકો માપદંડોમાં ફિટ ન હતા તેમને પણ પૈસા આપવામાં આવ્યા. હવે એ વાત ખોટી છે કે અયોગ્ય લાભાર્થીઓ પાસેથી પૈસા પાછા લેવામાં ન આવે. આ જનતાના પૈસા છે.”

“એટલે કે યોજના બનાવવી હોય કે લાભ આપવાનો હોય, પછી માપદંડ થોપવા અને અયોગ્યતા નક્કી કરવી. આ બધું નિયમોનું પાલન કર્યા વિના કરવામાં આવે છે. તેથી, સરકાર મૂળભૂત રીતે આ માટે દોષિત છે.”

ખોબરાગડેએ કહ્યું કે, “સરકારની ગણતરી એવી હતી કે મહત્તમ મહિલાઓને યોજનામાં સામેલ કરવામાં આવે અને ફાયદો મેળવવામાં આવે.”

‘યોજના નિયમો અનુસાર નથી’

અજીત પવાર, લાડકી બહેન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ખોબરાગડેએ વધુમાં જણાવ્યું હતું કે, “સરકારની નીતિ મૂળભૂત રીતે ખોટી હતી. સરકાર દાવો કરે છે કે આ યોજના મહિલાઓના સશક્તિકરણ અને વિકાસ માટે લાગુ કરવામાં આવી રહી છે, પરંતુ આ કોઈપણ યોજનામાં પ્રતિબિંબિત થતું નથી.”

“જે લોકો આ માટે લાયક ન હતા તેમને આપવામાં આવેલા લાભો પાછા લેવા જોઈએ, જે ખોટું થયું છે તેને વાજબી ઠેરવી શકાય નહીં.”

“આ બધાનો ભાર આપણા સામાન્ય લોકો પર પડશે. જો યોગ્ય લાભાર્થીઓને તે મળે છે, તો તેને એક યોજના તરીકે સમજી શકાય છે. પરંતુ ખોટા લોકોએ તેનો લાભ લીધો છે. તેથી, સરકારનો આગામી વિકલ્પ પૈસા વસૂલવાનો છે. મંત્રી કહે છે કે પૈસા વસૂલવામાં આવશે નહીં, જે બંધારણીય નથી અને કોઈપણ નિયમ સાથે સુસંગત નથી.”

‘પૈસા પરત મેળવો’

લાડલી બહન યોજના, પુરુષો, કૌભાંડ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સમાચાર, બીબીસી ગુજરાતી

ખોબરાગડે આગળ કહે છે, “આવી યોજનાઓ બંધારણના ભાગ ચારની કેટલીક કલમો અંતર્ગત બનાવવામાં આવે છે. જેમ યોજનાઓ બનાવવી એ સરકારનો ભાગ છે, તેમ તેનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરવી પણ સરકારનું કામ છે.”

“તેથી, જો આવી યોજના અયોગ્ય હોય તો પણ, તે લાગુ કરતી સરકાર યોજનાનો જે ખોટી રીતે લાભ લે છે એના જેટલી જ જવાબદાર છે.”

“હવે તમે જાણો છો કે તિજોરી પર દબાણ છે અને તેથી જ તમે આ રીતે વિચારી રહ્યા છો. કોઈએ મુખ્ય મંત્રી અને વિભાગના નિર્ણય લેનારા અધિકારીઓની જવાબદારીને અવગણવી ન જોઈએ.”

ખોબરાગડે વધુમાં કહે છે કે, “જેમ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યોજનામાં માપદંડો પૂરા ન કરનારાઓને લાભ આપવામાં આવશે નહીં, તેમ દરેક વ્યક્તિએ કહેવું જોઈએ કે તેઓ એવા લોકો પાસેથી પૈસા વસૂલ કરશે જેમણે પહેલાથી જ માપદંડોની બહાર રહીને લાભ મેળવ્યા છે. નહિંતર, આ બધા ગુમાવાયેલા પૈસા તેમની પાસેથી વસૂલ કરવા જોઈએ.”

લાડલી બહન યોજના, પુરુષો, કૌભાંડ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સમાચાર, બીબીસી ગુજરાતી

આપેલા પૈસા પરત મેળવવા અંગે ખોબરાગડેએ વધુમાં કહ્યું, “ઘણા એવા લોકો છે જે આવી રીતે ઘણી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. સરકાર દ્વારા ઘણી યોજનાઓ લાગુ કરવામાં આવે છે, અને તે યોજનાઓમાં અયોગ્યતા જણાયા પછી, પૈસા વસૂલવામાં આવે છે.”

વસૂલાત અંગે, ખોબરાગડે આગળ કહે છે, “પૈસા વસૂલવાના વિવિધ રસ્તાઓ છે. સરકાર પાસે ફક્ત તેને વસૂલવાની ઇચ્છાશક્તિ હોવી જોઈએ.”

“જો પૈસા પરત નહીં થાય, તો લાભાર્થીને કોઈ લાભ આપવામાં આવશે નહીં. લાભાર્થીઓને બ્લૅકલિસ્ટ કરવામાં આવે છે. હવે, આ યોજના સરકારે રજૂ કરી છે, તેથી સરકારને પણ ફાયદો થયો છે. તેથી હવે મને લાગે છે કે સરકાર આ લોકોને નારાજ કરશે નહીં.”

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાં, મહાયુતિ સરકારે ‘લાડકી બહિન’ યોજના માટે 6 મહિનામાં લગભગ 17 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કર્યું હતું.

ઉપરાંત, નવી ચૂંટણી પછી, મહાયુતિ સરકારે પૂરક માંગ મુજબ ફરીથી વર્ષ 2024-25 માટે આ યોજના માટે કુલ 35 હજાર કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ કરી.

આ યોજના પર અત્યાર સુધીમાં હજારો કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. આ બધા પૈસા સામાન્ય લોકોના છે.

જોકે, સામાન્ય લોકોનું કહેવું છે કે યોગ્ય આયોજન અને નીતિના અભાવે આ પરિસ્થિતિ સર્જાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ગુજરાત : આદિવાસી પરિવારની એક દીકરીને કારણે કેવી રીતે બે જૂથ વચ્ચેની લોહિયાળ દુશ્મનાવટનો અંત આવ્યો?

0

[ad_1]

વીડિયો કૅપ્શન, એક દીકરીએ કેવી રીતે આ આદિવાસીઓને વર્ષો બાદ પોતાની જમીનો પાછી મેળવવામાં મદદ કરી?

‘શમે ના વેર વેરથી’ : આદિવાસી પરિવારની એક દીકરીને કારણે કેવી રીતે બે જૂથ વચ્ચેની લોહિયાળ દુશ્મનાવટનો અંત આવ્યો?

ગત 18 જુલાઈના રોજ બનાસકાંઠાના દાંતા ખાતેના મોટા પીપોદરા ગામથી હિજરત કરી ગયેલાં 29 કુટુંબના આશરે 300 લોકોએ પુન: વસવાટ કર્યો હતો.

અંદાજે 11 વર્ષ બાદ સરકાર અને પોલીસતંત્રના પ્રયાસો થકી તેમના ગામમાં પુનર્વસન કરાતાં સમગ્ર મામલો સમાચારોમાં ચમક્યો હતો.

આ પરિવારોનો આદિવાસીઓની એક ‘ચડોતરું’ નામની પરંપરાને કારણે પોતાનાં ઘર-જમીન અને ગામ છોડીને ભટકવાનો વારો આવ્યો હતો.

આ આખી ઘટનાના કેન્દ્રમાં બે આદિવાસી જૂથો છે- મોટા પીપોદરાનું કોદરવી પરિવારનું જૂથ અને ચોકીબારા ગામનું ડાભી પરિવારનું જૂથ.

બંને જૂથ વચ્ચે હત્યાને એક મામલે સંઘર્ષ સર્જાયો હતો અને વર્ષ 2014માં મોટા પીપોદરાના કોદરવી કુટુંબોએ પહેરેલે કપડે, ઘરબાર-ખેતી મુકીને ગામ છોડી દીધું હતું.

કોદરવી પરિવારનાં અલકા કોદરવી પરિવારના પુન: વસવાટમાં નિમિત બન્યાં છે. અલકા કોદરવી ગ્રામરક્ષક દળમાં ફરજ બજાવે છે.

આખરે કઈ રીતે કોદરવી પરિવારના દીકરી અલકા કોદરવીને કારણે અગિયાર વર્ષો બાદ કોદરવી પરિવાર પોતાના ગામમાં પાછો વસવાટ કરી શક્યો?

અગિયાર વર્ષ સુધી ગામ છોડીને દૂર ભટકવા મજબૂર કરે એવી ચડોતરુંની પ્રથા શું છે? જુઓ આ વીડિયો.

અલકા કોદરવી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, અલકા કોદરવી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ન્યૂ યૉર્ક : ગોળીબારની ઘટનામાં ચારનાં મોત, સંદિગ્ધ બંદૂકધારીની તસવીર આવી સામે – ન્યૂઝ અપડેટ

0

[ad_1]

ન્યૂ યૉર્કમાં ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનું મોત, શૂટરનું પણ મોત – ન્યૂઝ અપડેટ
અમેરિકા, ગોળીબાર, હુમલો, પોલીસ બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, CBS News New York

ઇમેજ કૅપ્શન, ન્યૂ યૉર્ક પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલો કરનારી વ્યક્તિની ઓળખ શેન ડી ટમુરા તરીકે થઈ છે.

ન્યૂ યૉર્ક શહેરમાં થયેલી ગોળીબારની ઘટનાને લઈને ન્યૂ યૉર્કના મેયરે જણાવ્યું છે કે ઘટનામાં પાંચ લોકોને ગોળી વાગી છે. જેમાંથી ચાર લોકોનાં મોત થયાં છે.

મેયર ઍરિક ઍડમ્સે જણાવ્યું કે મૃત્યુ પામનારાંઓમાં ન્યૂ યૉર્ક પોલીસના એક અધિકારી પણ સામેલ છે.

આ પહેલાં ઍડમ્સે એક વિડિયો પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં ‘ઘણા લોકો’ ઘાયલ થયા છે.

તેમણે કહ્યું હતું, “જે લોકો ઇમારતની અંદર છે, તેઓ અંદર જ રહે. પોલીસ ઇમારતના દરેક માળ પર શોધખોળ કરી રહી છે.”

બીજી તરફ, અમેરિકા ખાતે બીબીસીના સહયોગી સીબીએસ ન્યૂઝે કાયદા અમલના બે સ્ત્રોતોના હવાલાથી જણાવ્યું છે કે આ ઘટનામાં એક પોલીસ અધિકારીનું પણ મૃત્યુ થયું છે.

સીબીએસની રિપોર્ટ અનુસાર, ન્યૂ યૉર્ક પોલીસના બે અધિકારીઓ જે ફરજ પર નહોતા, પરંતુ ઇમારતમાં સુરક્ષા તરીકે કામ કરી રહ્યા હતા, તેમને ગોળી વાગી છે.

આ ઉપરાંત બે નાગરિકોને પણ ગોળી વાગી છે. જેમાંથી એક અધિકારીનું મૃત્યુ થયું છે અને ઘાયલ લોકોમાંના એકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે.

ન્યૂ યૉર્ક પોલીસના સ્ત્રોતોએ અમેરિકી મીડિયા ને જણાવ્યું છે કે હુમલો કરનારી વ્યક્તિની ઓળખ શેન ડી ટમુરા તરીકે થઈ છે. પોલીસ દ્વારા આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

પરંતુ, સીબીએસ ન્યૂઝ અને અન્ય ઘણી મીડિયા સંસ્થાઓએ પણ હુમલાખોરની ઓળખ આ જ નામથી કરી છે. સીબીએસ ન્યૂઝે જણાવ્યું છે કે સીસીટીવી કૅમેરામાં શંકાસ્પદ શસ્ત્રધારી વ્યક્તિની છબી કેદ થઈ ગઈ છે.

ગોળીબારની આ ઘટના ન્યૂ યૉર્કના મૅનહટ્ટનની એક ઇમારતમાં ઘટી. પોલીસે જણાવ્યા પ્રમાણે, હુમલો કરનારી વ્યક્તિ એકલી હતી.

અમેરિકાના બીબીસી સહયોગી સીબીએસ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે, હુમલો કરનારી વ્યક્તિનું મોત ખુદને ગોળી મારવાને કારણે થયું હતું. જોકે, પોલીસે એ જાણકારી નથી આપી કે આ વ્યક્તિ કેવી રીતે માર્યો ગયો.

બીબીસી સંવાદદાતા ઇંદ્રાણી બસુએ જણાવ્યું, “આસપાસ લોકોએ જોરદાર ઘડાકાનો અવાજ સાંભળ્યો. મેં જોયું કે એક વ્યક્તિને હાથકડી પહેરાવીને લઈ જવામાં આવી રહ્યો છે. ઘટનાસ્થળે ઉપસ્થિત પોલીસના એક અધિકારીએ પુષ્ટિ કરી કે એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને એક ફરાર છે.”

ઇંદ્રાણી બસુના જણાવ્યા પ્રમાણે એ સ્પષ્ટ નથી કે આ ધરપકડ આ ગોળીબારની ઘટના સાથે જોડાયેલી છે કે નહીં.

આ ઘટના બાદ આ વિસ્તારમાં તમામ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. ઘટનાસ્થળની આસપાસ ચાર રસ્તાની પાસે આવેલા ચાર બ્લૉક્સ પણ સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયા છે.

ચીન : રાજધાની બેઇજિંગમાં ભયંકર વરસાદ અને પૂરને કારણે 30નાં મોત

ચીન : રાજધાની બેઇજિંગમાં ભયંકર વરસાદ અને પૂરને કારણે 30નાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ચીનની રાજધાની બેઇજિંગમાં ભયાનક પૂર આવ્યું છે.

ચીનની રાજધાની બેઇજિંગમાં ભારે વરસાદ અને પૂરને કારણે 30 લોકોનાં મૃત્યુ થયાં છે. બેઇજિંગ પ્રશાસને પૂરને કારણે ઇમર્જન્સીની ઘોષણા કરી છે.

ગત સપ્તાહે શનિવારથી શરૂ થયેલા વરસાદને કારણે અત્યારસુધી લગભગ 80 હજારથી વધારે લોકો વિસ્થાપિત થયા છે. અનુમાન લગાવવામાં આવે છે કે મંગળવારે બપોર સુધી આ વરસાદ ચાલુ રહેશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂરને કારણે લાપતા બનેલા લોકોને શોધવા માટે અને રાહત બચાવ કામગીરી માટેના નિર્દેશો આપ્યા છે.

જિનપિંગે સોમવારે કહ્યું, “પૂરને કારણે લાપતા થયેલા કે ફસાયેલા લોકોને શોધવા અને તેમને બચાવવા માટે તથા પ્રભાવિત ક્ષેત્રોના લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં કોઈ કસર નહીં છોડવામાં આવવી જોઈએ.”

જુલાઈ મહિનામાં બેઇજિંગમાં ઘણાં પૂર આવ્યાં. જેમાં સૌથી ભીષણ પૂર જુલાઈ, 2012માં આવ્યું હતું. જ્યારે એક જ દિવસમાં બેઇજિંગમાં 190 મીમી વરસાદ પડ્યો હતો. આ પૂરમાં 79 લોકોનાં મોત થયાં હતાં.

ન્યૂ યૉર્કમાં ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનું મોત, શૂટરનું પણ મોત

ન્યૂ યૉર્કમાં ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનું મોત, શૂટરનું પણ મોત – ન્યૂઝ અપડેટ
અમેરિકા, ગોળીબાર, હુમલો, પોલીસ બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ન્યૂ યૉર્ક પોલીસે એ નથી જણાવ્યું કે હુમલો કરનાર વ્યક્તિ કેવી રીતે માર્યો ગયો.

અમરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછી એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય ત્રણ લોકો ઘાયલ છે. પોલીસે જણાવ્યું કે હુમલો કરનાર ‘શૂટરનું પણ મોત’ થયું છે.

આ ઘટના ન્યૂ યૉર્કના મૅનહટ્ટનની એક ઇમારતમાં ઘટી. પોલીસે જણાવ્યા પ્રમાણે, હુમલો કરનારી વ્યક્તિ એકલી હતી.

અમેરિકાના બીબીસી સહયોગી સીબીએસ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે, હુમલો કરનારી વ્યક્તિનું મોત ખુદને ગોળી મારવાને કારણે થયું હતું. જોકે, પોલીસે એ જાણકારી નથી આપી કે આ વ્યક્તિ કેવી રીતે માર્યો ગયો.

બીબીસી સંવાદદાતા ઇંદ્રાણી બસુએ જણાવ્યું, “આસપાસ લોકોએ જોરદાર ઘડાકાનો અવાજ સાંભળ્યો. મેં જોયું કે એક વ્યક્તિને હાથકડી પહેરાવીને લઈ જવામાં આવી રહ્યો છે. ઘટનાસ્થળે ઉપસ્થિત પોલીસના એક અધિકારીએ પુષ્ટિ કરી કે એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને એક ફરાર છે.”

ઇંદ્રાણી બસુના જણાવ્યા પ્રમાણે એ સ્પષ્ટ નથી કે આ ધરપકડ આ ગોળીબારની ઘટના સાથે જોડાયેલી છે કે નહીં.

આ ઘટના બાદ આ વિસ્તારમાં તમામ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. ઘટનાસ્થળની આસપાસ ચાર રસ્તાની પાસે આવેલા ચાર બ્લૉક્સ પણ સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયા છે.

નાઇજીરિયા: અપહરણકર્તાઓએ ખંડણી મળ્યા બાદ પણ 38 બંધકોની હત્યા કરી

નાઇજીરિયા: અપહરણકર્તાઓએ ખંડણી મળ્યા બાદ પણ 38 બંધકોની હત્યા કરી - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

એક સ્થાનિક અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે નાઇજીરિયામાં અપહરણકર્તાઓએ ઓછામાં ઓછા 38 લોકોનું અપહરણ કરીને હત્યા કરી નાખી છે, જ્યારે કે તેમને છોડવા માટે ખંડણીની રકમ પણ આપવામાં આવી હતી.

ઘટનાક્રમ પ્રમાણે માર્ચમાં ઉત્તર જમ્ફારા રાજ્યમાં બંગા ગામથી 56 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

નાઇજીરિયાઈ મીડિયાના રિપાર્ટ અનુસાર, બંદૂકધારીઓએ અપહરણ બાદ પ્રતિ વ્યક્તિ દસ લાખ નાઇરા (655 ડૉલર)ની ખંડણી માગી હતી.

સ્થાનિક સરકારના ચૅરમૅન મન્નિરુ હૈદરા કૌરાએ કહ્યું કે માર્યા ગયેલા લોકોમાંથી સૌથી વધુ યુવા હતા. જેમને ‘ઘેંટા-બકરાંની જેમ કાપી નાખવામાં આવ્યાં.’

હૈદરાએ કહ્યું, “અપહરણકર્તાઓએ ખંડણીની રકમ માગી અને કેટલીક વાતચીત બાદ તેમને એ રકમ આપી દેવામાં આવી. શનિવારે તેમણે 17 મહિલાઓ અને એક યુવાન સહિત કુલ 18 લોકોને છોડી મૂક્યા.”

શનિવારે છોડવામાં આવેલા લોકોમાંથી 16 હૉસ્પિટલમાં સારવાર કરાવે છે. જ્યારે કે માર્યા ગયેલા 38 લોકોના મૃતદેહો પણ મળવાની સંભાવના નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

‘ઑપરેશન સિંદૂર’ પર લોકસભામાં ચર્ચા દરમિયાન કોણે શું કહ્યું?

0

[ad_1]

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ'

ઇમેજ સ્રોત, Sansad TV

ઇમેજ કૅપ્શન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

લોકસભામાં સંસદના ચોમાસું સત્ર દરમિયાન પહલગામ હુમલા અને ‘ઑપરેશન સિંદૂર’ પર ચર્ચા થઈ.

આ ચર્ચાની શરૂઆત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરી હતી. આ ચર્ચા દરમિયાન રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાનને જે ગેરસમજ હતી, તેને ‘ઑપરેશન સિંદૂરે’ દૂર કરી દીધી હતી.

આ પહેલાં વિપક્ષના વિરોધ અને લોકસભામાં બિહારમાં એસઆઈઆર પર ચર્ચાની માગને લઈને હંગામાને કારણે વચ્ચે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડી હતી.

કૉંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે સરકાર પહલગામ હુમલા અને ‘ઑપરેશન સિંદૂર’ પર ચર્ચા કરાવવા નથી માગતી અને તેનું સત્ય દેશ સમક્ષ મૂકવા નથી માગતી.

જોકે, બપોરે પહલગામ હુમલા અને ઑપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા થઈ. સરકાર તરફથી અને વિપક્ષ તરફથી ચર્ચામાં ભાગ લેનારા મુખ્ય નેતાઓ શું બોલ્યા હતા?

રાજનાથસિંહે શું કહ્યું?

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ'

ઇમેજ સ્રોત, Sansad TV

ઇમેજ કૅપ્શન, ‘ઑપરેશન સિંદૂર’ પર ચર્ચા પહેલા લોકસભાની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી.

ઑપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, “પાકિસ્તાન સાથે કોઈ સંઘર્ષ નથી. આ સભ્યતા વિરુદ્ધ બર્બરતાનો સંઘર્ષ છે. જો કોઈ અમારી સંપ્રભુતાને નુકસાન પહોંચાડશે તો તેને કડક જવાબ આપવામાં આવશે.

તેમણે આગળ કહ્યું કે અમારી મૂળ પ્રકૃતિ બુદ્ધની છે. યુદ્ધની નહીં. અમે આજે પણ કહીએ છીએ કે સમૃદ્ધ પાકિસ્તાન અમારા હિતમાં છે. નરેન્દ્ર મોદી સરકારનું વલણ સ્પષ્ટ છે- વાચીત અને આતંકવાદ સાથે-સાથે ન ચાલી શકે.

અમારી સરકારે પણ પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપિત કરવાના કેટલાય પ્રયત્નો કર્યા છે. પરંતુ પછી, 2016ની સર્જિકલ સ્ટ્રાઇક. 2019ની બાલાકોટ ઍર સ્ટ્રાઇક અને વર્ષ 2025ના ઑપરેશન સિંદૂર મારફતે, અમે શાંતિ સ્થાપિત કરવાનો બીજો રસ્તો અપનાવ્યો.

પાકિસ્તાન દ્વારા સ્પૉન્સર્ડ આતંકવાદ પાગલપન નથી, સમજીને રચેલા કાવતરાનો ભાગ છે. આ એક ટૂલકિટ છે જેને પાકિસ્તાન તથા તેની એજન્સીઓએ એક નીતિ હેઠળ અપનાવી છે.”

કૉંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ શું કહ્યું?

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ'

ઇમેજ સ્રોત, Sansad TV

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ સાંસદ ગોરવ ગોગોઈ

ઑપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચા ચાલી રહી છે જેમાં કૉંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ સરકારને ભારતીય વાયુસેનાનાં કેટલાં વિમાન તૂટ્યાં એ વિશે પ્રશ્નો કર્યા હતા.

તેમણે કહ્યું કે, “અમે સરકારના દુશ્મન નથી, અમે આતંકવાદની વિરુદ્ધ લડાઈમાં આજે પણ સરકારની સાથે છીએ, પરંતુ સત્ય સામે આવવું જોઈએ. અમને આશા હતી કે ગૃહમંત્રી નૈતિક જવાબદારી લેશે અને વડા પ્રધાન (નરેન્દ્ર મોદી) આખી ઘટનાની જાણકારી આપશે.

અમે બધા એક થયા અને વડા પ્રધાન મોદીને સંપૂર્ણ સમર્થન આપ્યું. આખો દેશ વડા પ્રધાન મોદીજી સાથે હતો પરંતુ 10 મેના સૂચના આવી કે સીઝફાયર થઈ ગયો. શું થયું? પહેલાં 21 ટાર્ગેટ ચૂંટાયા અને પછી નવ કેમ થયા?

પાકિસ્તાન જો ખરેખર ઘૂંટણીયે પડવા તૈયાર હતું તો તમે કેમ રોકાયા, તમે કેમ ઝૂકી ગયા. કોની સામે તમે સરેન્ડર કર્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ 26 વખત કહી ચૂક્યા છે કે અમે લડાઈ રોકાવી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે પાંચ-છ જેટ તૂટ્યાં. તમે કહો કે કેટલાં જેટ તૂટ્યાં?”

વિદેશ મંત્રી એસ. જયશંકરે શું કહ્યું?

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ'

ઇમેજ સ્રોત, Sansad TV

ઇમેજ કૅપ્શન, વિદેશ મંત્રી એસ. જયશંકર

સંસદમાં ઑપરેશન સિંદૂર પર ચર્ચામાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે,”પહલગામ હુમલા બાદ એક સ્પષ્ટ, કડક, સાહસપૂર્ણ સંદેશ આપવો મહત્ત્વપૂર્ણ હતો. અમારી રેડલાઇનને પાર કરવામાં આવી હતી અને અમારે સ્પષ્ટ કરવું હતું કે આનાં ગંભીર પરિણામ હશે.

અમે પહેલા પગલારૂપે 23 એપ્રિલના સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટીની બેઠક બોલાવી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે વર્ષ 1960ની સિંધુ જળ સંધિને તત્કાળ પ્રભાવથી ત્યાર સુધી રદ રાખવામાં આવે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદ માટે પોતાનું સમર્થન નિશ્ચિત રૂપથી છોડી ન દે.

એ વાત એકદમ સ્પષ્ટ હતી કે સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટીના પ્રારંભિક પગલા બાદ પહલગામ હુમલા પર ભારતની પ્રતિક્રિયા અહીં ન રોકાઈ.

રાજદ્વારી અને વિદેશ નીતિ સંદર્ભે અમારું કામ પહલગામ હુમલા વિશે દુનિયાને સાચી માહિતી આપવાની હતી.

અમે પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદના ઇતિહાસને દુનિયાની સામે લાવવાનો પ્રયાસ કર્યો.

અમે પાકિસ્તાનમાં આતંકવાદના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે કેવી રીતે આ (પહલગામ) હુમલો જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને નિશાન બનાવવા અને ભારતના લોકો વચ્ચે સાંપ્રદાયિક શત્રુતા ફેલાવવા માટે કરાયો હતો.”

કૉંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે ‘ઑપરેશન મહાદેવ’ પર સવાલો ઉઠાવ્યા

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ સાંસદ ઇમરાન મસુદ

ઑપરેશન મહાદેવ પરકૉંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે એએનઆઈને કહ્યું કે, “એક કલાકમાં આતંકવાદી (પહેલગામ હુમલામાં સામેલ)ને ક્યાંથી પકડી લાવ્યા? છેલ્લા 100 દિવસથી તો પકડાઈ નહોતા રહ્યા?”

એમણે સવાલ ઉઠાવ્યો, “કોણ હતા આ આતંકવાદી, કોણ હતા આ કાવતરું ઘડનારા? અમે સવારે સવાલ ઉઠાવ્યો અને બપોરે એમને મારી નખાયા.”

એમણે કહ્યું, “અરે વાહ. કેટલી તેજગતિએ કામ ચાલી રહ્યું છે. આટલી ઝડપ દાખવી હોત તો પીઓકે પર કબજો થઈ ગયો હોત. પીઓકે આપણું હોત. જે સમયે પીઓકે પર કબજો કરવાનો હતો ત્યારે તો સરેન્ડર થઈ ગયા.”

સોમવારે સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઑપરેશન મહાદેવ (શ્રીનગરના બાહરી વિસ્તારમાં) ત્રણ આતંકીઓને અથડામણ દરમિયાન મારવામાં આવ્યા છે અને અભિયાન હજુ ચાલુ છે.”

કૉંગ્રેસ સાંસદે કહ્યું, “ચીન પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યું છે અને તમે ચીનની સાથે મિત્રતા કરી રહ્યા છો. પાકિસ્તાન આતંકવાદને પોષી રહ્યું છે અને તમે એની સાથે ક્રિકેટ રમી રહ્યા છો.”

એમણે કહ્યું, “આપણી બહેનોનું સિંદૂર ભૂંસાઈ ગયું અને તમને ક્રિકેટ દેખાઈ રહી છે. બહેનોનાં સિંદૂર તમને નથી દેખાતાં.”

એમણે કહ્યું, “સરકાર પાસે કોઈ સવાલનો જવાબ નથી.”

ચિદંબરમના નિવેદન પર વિવાદ

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પી. ચિદંબરમે એક ઇન્ટરવ્યૂમાં પહલગામ હુમલાને લઈને એક નિવેદન આપ્યું છે જેના પર વિવાદ થયો હતો.

કૉંગ્રેસ નેતા પી. ચિદંબરમના એક નિવેદન મામલે પણ લોકસભામાં ગરમાગરમ ચર્ચા થઈ હતી.

કૉંગ્રેસ નેતા પી. ચિદંબરમના પહલગામ હુમલાને લીને આપવામાં આવેલા નિવેદનને લઈને વિવાદ થયો છે. ચિદંબરમના આ નિવેદન સામે ભાજપે નિશાન તાક્યું હતું.

પી. ચિદંબરમે ‘ધ ક્વિંટ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે પહલગામમાં હુમલા કરનારા ‘આતંકવાદી ક્યાંથી આવ્યા, તેના કોઈ પુરાવા નથી.’

ઇન્ટરવ્યૂ દરમિયાન ચિદંબરમને સવાલ કર્યો છે કે ‘આપના હિસાબે સરકાર શું છુપાવવાની કોશિશ કરી રહી છે.’

તેના પર જવાબ આપતા ચિદંબરમ કહે છે, “આ એક અનુમાન છે, મારા હિસાબે તેઓ એ છુપાવવાની કોશિશ કરી રહ્યા છે અને સીડીએસે પણ ઇશારો કર્યો છે કે ‘અમે સામરિક ભૂલો કરી, અમે તેના પર ફરીથી રણનીતિ બનાવી.’ તો કઈ સામરિક ભૂલો કરી આપણે? અને અમે ફરી કઈ રણનીતિ બનાવી? આ સવાલો પર જવાબ દેવામાં સક્ષમ નથી અથવા તો જવાબ આપવા નથી માગતી.”

“બીજું એ કે આ લોકો એનઆઈએનો રિપોર્ટ જાહેર નથી કરવા માગતા, આ એજન્સીએ કઈ તપાસ કરી, શું એજન્સી આતંકવાદીઓની ઓળખ કરી શકી કે તેઓ ક્યાંથી આવ્યા હતા? મારો કહેવાનો અર્થ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે તેઓ આપણા ઘરમાં તૈયાર થયા આતંકવાદી પણ હોઈ શકે છે. તમે એવું કઈ રીતે માનો છો કે તેઓ પાકિસ્તાનથી આવ્યા છે? તેના કોઈ પુરાવા નથી. આ લોકો નુકસાનને પણ છુપાવી રહ્યા છે.”

ચિદંબરમે કહ્યું, “મેં લખેલી એક કટારમાં પણ જણાવ્યું કે યુદ્ધમાં બંને તરફ નુકસાન થાય છે. હું સમજ્યો છું કે ભારતને પણ નુકસાન થયું હશે. તેને જણાવો.”

ચિદંબરમના આ નિવેદન પર ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, “જ્યારે-જ્યારે આતંકવાદ અને પાકિસ્તાનની વાત આવે છે ત્યારે પાકિસ્તાન પણ પોતાનો બચાવ નથી કરતું એટલું કૉંગ્રેસ કરે છે.”

“અમે ભોગવ્યું છે. અને અમે જાણીએ છીએ કે પાકિસ્તાનની નાપાક હરકત છે. જે ચાહે છે કે ખુદ તો પ્રગતિ નથી કરી શક્યા, સાથે બીજાને પણ નહીં કરવા દે.”

કૉંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ ચિદંબરમનો બચાવ કર્યો.

પ્રમોદ તિવારીએ મીડિયામાં કહ્યું, “અમે આ જાણવા માગીએ છીએ કે આતંકવાદી ક્યાં છે, જેમણે 26 બહેનોનું સિંદૂર ઉજાડ્યું? સરકાર હજુ અક્ષમ છે. અસફળ છે.”

તેમણે કહ્યું, “સરકાર જણાવે કે એ આતંકવાદી કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, તેઓ હજુ કેમ જીવે છે? સરકારે તેનો જવાબ આપવો પડશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

રાજકોટ : “મારો જન્મ અને ઉછેર પાકિસ્તાનમાં થયો હતો અને હવે ભારતીય નાગરિક બની તેનો ગર્વ છે”

0

[ad_1]

CAA, સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ, પાકિસ્તાનમાં જન્મેલા હિંદુ, સીએએનો વિરોધ શા માટે, સીએએથી કોને લાભ ભારતીય નાગરિકત્વ, હર્ષ સંઘવી, રાજકોટ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhavna Maheshwari

ઇમેજ કૅપ્શન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હાથે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર સ્વીકારી રહેલાં ભાવનાબહેન મહેશ્વરી

“મારો જન્મ અને ઉછેર કરાચી – પાકિસ્તાનમાં થયો હતો. મને ભારતીય નાગરિકતા મળી તેનો આનંદ અને ગર્વ છે. હું પરણીને રાજકોટ આવી હતી. છેલ્લાં 10 વર્ષથી રાજકોટમાં રહું છું. મેં કરાચીમાં જ ગ્રૅજ્યુએશન તથા એમ.બી.એ.નો અભ્યાસ કર્યો હતો. હાલ હું રાજકોટની હૉસ્પિટલમાં આઠ વર્ષથી નોકરી કરું છું. નાગરિકત્વ મળવાથી મારી આગળ વધવાની તક વધી છે.”

આ શબ્દો ભાવનાબહેન મહેશ્વરીના છે. તાજેતરમાં રાજકોટમાં જ નાગરિકતા સંશોધન કાયદો – સી.એ.એ. (સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ) હેઠળ, જે 185 લોકોને ભારતીય નાગરિક તરીકેનું પ્રમાણપત્ર મળ્યું તેમાં ભાવનાબહેન પણ હતાં.

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા ગેર-મુસ્લિમોને નાગરિકતા આપવા માટે સી.એ.એ.નો દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો.

ભાવનાબહેનનાં મમ્મી – પપ્પા કરાચીમાં રહે છે. ભાવનાબહેન કહે છે, “મને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જે નાગરિકતા પ્રમાણપત્ર આપ્યું, તેનો ફોટો મારા પપ્પાએ ઘરમાં મઢાવીને રાખ્યો છે.”

“મારાં મમ્મી-પપ્પા ઉપરાંત ભાઈ-ભાભી ત્યાં જ રહે છે. તે લોકો પણ ઇચ્છે છે કે તેઓ ભારતમાં રહેવા આવી જાય. અમે હિંદુ છીએ અમને લાગે છે કે અમારું જીવન અહીં છે. મુસ્લિમ દેશમાં એટલી ફૅસિલિટી ન મળે.”

‘નાગરિકત્વ એ અમારા માટે સામાજિક સ્વીકૃતિનું પણ પ્રમાણપત્ર’

CAA, સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ, પાકિસ્તાનમાં જન્મેલા હિંદુ, સીએએનો વિરોધ શા માટે, સીએએથી કોને લાભ ભારતીય નાગરિકત્વ, હર્ષ સંઘવી, રાજકોટ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gujarat State Information

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં યોજાયેલા ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કૅમ્પમાં આવેલા લોકો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સરકારે બહુચર્ચિત સી.એ.એ.-2019 નો કાયદો માર્ચ-2024માં ભારતમાં લાગુ કર્યો હતો.

આ કાયદા અંતર્ગત 31 ડિસેમ્બર, 2014, પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ‘ધાર્મિક ઉત્પીડન’ના કારણે ભારત આવેલા બિનમુસ્લિમ લઘુમતીઓને ભારતનું નાગરકિત્વ મળી શકે છે.

જે 185 લોકોને રાજકોટમાં ભારતિય નાગરિકતા પ્રમાણપત્ર મળ્યું, તેઓ પૈકી ઘણા પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસ્યા હતા.

પ્રિતમ મહેશ્વરી કરાચીમાં જન્મ્યા હતા અને માધ્યમિક શિક્ષણ સુધીનો અભ્યાસ પણ ત્યાં જ કર્યો હતો અને હવે ભારતના નાગરિક બન્યા છે.

પ્રિતમ મહેશ્વરી જણાવે છે, “હું સતરેક વર્ષથી રાજકોટમાં રહું છું. હું પાકિસ્તાનના કરાચીમાં મોટો થયો ત્યાં 10 ધોરણ સુધી ત્યાં ભણ્યો હતો. અગિયારમું અને બારમા ધોરણનો અભ્યાસ મેં ગુજરાતમાં કર્યો હતો.”

“અમે નવેમ્બર-2008 માં કરાચીથી ગુજરાત આવ્યા હતા, એ વખતે જ મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. અમે હિંદુ હોવા છતાં પણ એ ગાળામાં અમે પાકિસ્તાનમાંથી આવ્યા હતા, તેથી લોકોનો ઉમળકો અમને મળતો ન હતો.”

“અમને સ્કૂલના ઍડમિશન વગેરેમાં પણ તકલીફ પડી હતી. હવે નાગરિકત્વનું પ્રમાણપત્ર એ અમારા માટે એક પ્રકારની લોકોની સ્વિકૃતિનું પણ પ્રમાણપત્ર છે. લોકોને હવે એ વાતનું અચરજ નહીં રહે કે અમે પાકિસ્તાનથી આવ્યા છીએ.”

પ્રિતમભાઈ રાજકોટમાં એક ખાનગી હૉસ્પિટલમાં નોકરી કરે છે. અગાઉ તેમણે મોબાઇલ કંપનીમાં પણ કામ કર્યું હતું. કરાચીમાં તેમણે અંગ્રજી માધ્યમની શાળામાં અભ્યાસ કર્યો હતો.

પ્રિતમભાઈ મહેશ્વરી કહે છે, “હું ગુજરાતી કક્કો લખતા અને વાંચતા રાજકોટ આવીને શીખ્યો છું. હું મૂળે કચ્છનો છું. 1947માં ભાગલા થયા ત્યારે મારા દાદાજીનાં મકાન-મિલ્કત અને વ્યવસાય કચ્છના એ ભાગમાં હતા જે ભાગલા વખતે પાકિસ્તાનમાં જતો રહ્યો હતો.”

“તેથી એ લોકો ત્યાં જ રહેવા માંડ્યા હતા. અમારા પાકિસ્તાનમાં જે કોઈ સગા રહે છે તેઓ પણ ઘરમાં કચ્છી બોલી બોલે છે.”

ગૃહ રાજ્યમંત્રીએ શું કહ્યું?

CAA, સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ, પાકિસ્તાનમાં જન્મેલા હિંદુ, સીએએનો વિરોધ શા માટે, સીએએથી કોને લાભ ભારતીય નાગરિકત્વ, હર્ષ સંઘવી, રાજકોટ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gujarat State Information

ઇમેજ કૅપ્શન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કૅમ્પ યોજવામાં આવ્યો હતો.

જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું, “જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે, તેવા પાકિસ્તાનથી વિસ્થાપિત લોકો માટે આજથી નવું જીવન શરૂ થયું છે. “

હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું, “પાકિસ્તાનથી સુરક્ષા માટે પોતાનો જીવ બચાવીને છેલ્લાં અનેક વર્ષોથી ભારતમાં રહે છે તેવા હિંદુ પરિવારોને ભારતીય નાગરિકત્વ આપવાનો કાર્યક્રમ છે.”

“આ લોકો પોતાના પરિવારને બચાવીને હેમખેમ ભારત આવ્યા છે. મિલ્કત, જન્મભૂમિ અને કારોબાર છોડીને આવવું પડ્યું. વડા પ્રધાનનો આભાર માનું છું કે તેમના નેતૃત્વમાં સી.એ.એ.-2019 જે પાસ થયો તેના કારણે આ જે પીડિત લોકો છે તેઓ પોતાનાં પરિવારનું અને બાળકોનું ભવિષ્ય અહીં ઉજ્જવળ કરી શકશે.”

જ્યારે આ કાયદો બન્યો ત્યારે દેશના ઘણા ભાગોમાં તેના વિરોધમાં વિરોધ થયો હતો. સામાજિક કાર્યકરો, માનવાધિકાર માટે કામ કરનારાં સંગઠનો અને સમાજના એક વર્ગે આ કાયદાને ભારતીય બંધારણની ભાવના વિરુદ્ધ ગણાવીને તેનો વિરોધ કર્યો હતો.

2019માં CAA વિરુદ્ધ વિરોધ શરૂ થયો, ત્યારે તેનો અંત દિલ્હી રમખાણોના રૂપમાં થયો હતો. આ રમખાણોમાં 53 લોકોનાં મોત થયાં હતાં. 2019માં લોકસભાની ચૂંટણી હતી તેથી ચૂંટણીના વર્ષમાં તેનો અમલ થઈ રહ્યો હતો ત્યારે વિરોધ પક્ષોએ તેને ચૂંટણીનો ખેલ ગણાવ્યો હતો.

અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રે આ કાયદા પર ચિંતા વ્યક્ત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું હતું કે, “આ કાયદો મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ છે અને ભારતની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર જવાબદારીઓનું ઉલ્લંઘન કરે છે.”

હર્ષ સંઘવીએ કહ્યું હતું, “પાકિસ્તાનમાં મારા આ હિન્દુ, શિખ, ઇસાઈ, જૈન, બૌદ્ધ પરિવારો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. દીકરીઓને સ્કૂલ મોકલી હોય તો પાછી ફરશે કે નહીં એની ચિંતા તેમના મનમાં સતાવે છે.”

“પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આ પરિવારો પાસેથી જાણવા મળ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર ખૂબ અત્યાચાર કરવામાં આવે છે. મારી તો આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનને અપીલ છે કે ખરેખર માનવાધિકાર નિહાળવા હોય તો એ ભારતમાં છે.”

વિસ્થાપિતો એ ભારત પર બોજ નથી

CAA, સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ, પાકિસ્તાનમાં જન્મેલા હિંદુ, સીએએનો વિરોધ શા માટે, સીએએથી કોને લાભ ભારતીય નાગરિકત્વ, હર્ષ સંઘવી, રાજકોટ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કૉંગ્રેસ, ડીએમકે, તૃણમૂલ કૉંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, સીપીએમ, ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી), રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, આમ આદમી પાર્ટી અને પીપલ્સ ડેમૉક્રટિક પાર્ટી જેવા પક્ષોએ આ કાયદાનો વિરોધ કર્યો હતો.

જયારે આ કાયદો લાવવામાં આવ્યો, ત્યારે શિવસેનાએ તેમના મુખપત્ર ‘સામના’માં તંત્રી લેખમાં લખ્યું હતું કે આ કાયદો ગર્ભિતપણે હિંદુ-મુસ્લિમ અલગતાવાદને આગળ પ્રેરશે.

અરવિંદ કેજરીવાલ જ્યારે દિલ્હીના મુખ્ય મંત્રી હતા એ વખતે સીએએ સામે વિરોધ નોંધાવતા કહ્યું હતું, ‘મોટી સંખ્યામાં લોકોને આપણા દેશમાં લાવવામાં આવશે. તેમને રોજગાર આપવામાં આવશે. કેન્દ્ર સરકાર આપણાં બાળકોને રોજગારી આપી શકતી નથી અને પાકિસ્તાનથી આવેલા લોકોને રોજગારી આપશે?’

પ્રિતમ મહેશ્વરીએ કહ્યું હતું, “હું કેજરીવાલજીને કહેવા માગું છું કે અમારા જેવા વિસ્થાપિતો એ ભારત પર કોઈ બોજ નથી. અમે આત્મનિર્ભર છીએ અને ભારતની અર્થવ્યવસ્થામાં અમે પણ યોગદાન આપીએ છીએ.”

“આનો જે રાજકીય વિરોધ થયો હતો તે પણ યોગ્ય નથી. આમાં તબક્કાવાર પૂરતી ખરાઈ કરવામાં આવે છે. એ પછી જ નાગરિકતા મળે છે. કોઈ ઘૂસણખોરને નાગરિકતા મળી જાય એવું નથી. તેથી બંગાળ વગેરેમાં જે વિરોધ થયો તે ગેરવાજબી લાગે છે.”

પાકિસ્તાન હંમેશાં તેમને ત્યાં અલ્પસંખ્યકો પર અત્યાચાર થઈ રહ્યો હોવાના આરોપોનું ખંડન કરે છે.

ભારતના ગૃહમંત્રી અમિત શાહે નાગરિકસા સંશોધન બિલ પર સંસદમાં જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સંખ્યા 1947માં 23 ટકા હતી જે 2011માં ઘટીને માત્ર 3.7 ટકા થઈ ગઈ છે.

પાકિસ્તાને અમિત શાહના આ દાવાને ફગાવી દીધો હતો. તે વખતે પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલે પાકિસ્તાની અખબાર ધ ઍક્સપ્રેસ ટ્રિબ્યૂનને જણાવ્યું હતું કે અમિત શાહનો દાવો ઐતિહાસિત તથ્યો અને વસ્તીગણતરીનાં પરિણામો સાથે મેળ ખાતો નથી.

તેમણે દાવો કર્યો કે પાકિસ્તાનમાં બિન-મુસ્લિમોની વસ્તી એટલા માટે ઘટી છે કારણકે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ અલગ દેશ બન્યો.

ડૉ. ફૈઝલે કહ્યું, “પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ લીલા રંગની માફક જ છે. અમારા રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ અલ્પસંખ્યકોની ભાગેદારીને દર્શાવે છે. અમિત શાહે જે આંકડો ગણાવ્યો ત્યારે દેશનું વિભાજન નહોતું થયું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ઇસ્લામાબાદમાં 25 ટન ગધેડાનું માંસ પકડાયું : ગધેડાનાં માંસ અને ચામડાનો શું ઉપયોગ થાય છે?

0

[ad_1]

પાકિસ્તાન, ગધેડાનું માંસ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની રાજધાનીમાં ગધેડાના માંસના વેચાણની ઘટના સામે આવી છે

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સાંગજાની પોલીસ સ્ટેશનની હદમાં ગધેડાનું માંસ વેચાતું હોવાની માહિતી પોલીસને મળી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ત્યાંથી 1,000 કિલો ગધેડાનું માંસ અને લગભગ 45 ગધેડા જપ્ત કરવામાં આવ્યા છે.

એક પોલીસ અધિકારીએ પત્રકાર શહજાદ મલિકને જણાવ્યું હતું કે, “આ કેસમાં એક ચીની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.”

તેની પૂછપરછ ચાલી રહી છે કે આ માંસ ક્યાં અને કેવી રીતે વેચવામાં આવતું હતું. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઈ મહત્ત્વપૂર્ણ માહિતી મળી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર આ ગધેડાઓ પંજાબનાં વિવિધ શહેરોમાંથી એક ફાર્મહાઉસમાં લાવવામાં આવ્યા હતા અને તેમની કતલ કરીને તેમનું માંસ વેચવામાં આવતું હતું.

જ્યારે ગધેડાનું ચામડું ગ્વાદર થઈને ચીન મોકલવામાં આવી રહ્યું હતું. ચીનમાં તેનો ઉપયોગ કૉસ્મેટિક્સ બનાવવા માટે થતો હતો.

નોંધનીય છે કે ચીનમાં ગધેડાના ચામડાનો વ્યવસાય ખૂબ જ નફાકારક માનવામાં આવે છે, જ્યાં તેનો ઉપયોગ વિવિધ પ્રકારની ક્રીમ બનાવવામાં થાય છે.

‘ધરપકડ કરાયેલી વિદેશી નાગરિક 90 દિવસના વિઝા પર પાકિસ્તાન આવ્યો હતો’

શનિવારે મોડી રાત્રે ગધેડાનું માંસ વેચવાનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો કે સાંગજાની પોલીસ સ્ટેશનની હદમાં ગધેડાના માંસનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સાંગજાની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, ફૂડ ઑથોરિટીના અધિકારીઓને 26 જુલાઈની રાત્રે એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે ઉપરોક્ત સ્થળે ગધેડાનું માંસ વેચાઈ રહ્યું છે.

ઉપરોક્ત સ્થળનું નિરીક્ષણ કર્યા પછી ફૂડ ઑથોરિટી અને ઇસ્લામાબાદ પોલીસે 25 ટન ગધેડાનું માંસ અને લગભગ 45 જીવતા ગધેડા જપ્ત કર્યા હતા.

કેસ અનુસાર આ માંસ અને ગધેડાના શિપમેન્ટ માટે કોઈ રેકૉર્ડ કે સત્તાવાર પરવાનગી નહોતી.

એફઆઈઆર મુજબ, “એક વ્યક્તિ ત્યાં હાજર હતી જે ચીની લાગતી હતી અને તેણે કહ્યું કે પાકિસ્તાની મજૂરો અહીં કામ કરે છે પરંતુ મને ખબર નથી કે માંસ ક્યાં જઈ રહ્યું છે. તેણે એમ પણ કહ્યું કે તેનો માલિક ચીનમાં રહે છે.”

વિશ્વ, ગધેડા, ગ્રામ્ય જીવન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્વના ઘણા ભાગોમાં, ભાર વહન કરવા અને સવારી કરવા માટે ગધેડા ગ્રામ્ય જીવનનો અભિન્ન ભાગ છે.

બીબીસી સંવાદદાતા શહેઝાદ મલિક સાથે વાત કરતાં પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી કે ઘટનાસ્થળે હાજર વિદેશી નાગરિક સામે કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે દાવો કર્યો હતો કે ગધેડાના માંસની ખેપની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત આમાં સામેલ સપ્લાય કરતા સ્થાનિક લોકોને પણ શોધી કાઢવામાં આવી રહ્યા છે.

સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા વિદેશી નાગરિકનું નામ ઝોંગ વેઈ છે. જે હાલમાં જ 90 દિવસના વિઝા પર પાકિસ્તાન આવ્યો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કતલખાનામાંથી સેંકડો ગધેડાનું ચામડું પણ મળી આવ્યું હતું. જેને કદાચ ગ્વાદરથી વિદેશ મોકલવાના હતા.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સંઘીય રાજધાની ઉપરાંત પંજાબ, ખૈબર પખ્તુનખ્વા અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના વિવિધ વિસ્તારોના નાગરિકો અહીં ગધેડા વેચવા માટે આવતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર દરોડા સમયે ઘટનાસ્થળે હાજર પાકિસ્તાનીઓ ભાગી ગયા હતા.

આ માંસનો સપ્લાય ક્યાંથી થતો હતો

યાદ રાખો કે થોડાં વર્ષો પહેલાં લાહોર શહેરની હોટલોમાં ગધેડાનું માંસ વેચવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

જેના પછી લાહોરના લોકોની ઘણીવાર સોશિયલ મીડિયા પર માંસ અંગે ટીકા અને મજાક ઉડાવવામાં આવતી હતી.

જોકે, શનિવારે ઇસ્લામાબાદથી આ સમાચાર આવ્યા ત્યારથી સોશિયલ મીડિયા યુઝરો આ બાબતે ખૂબ જ ઉશ્કેરાઈ ગયા હતા.

એક્સ યુઝર મેહરબાન શેખે લખ્યું, “હવે એવું લાગે છે કે આ ‘સન્માન’ મેળવનાર લાહોર એકલું નથી કારણ કે ઇસ્લામાબાદને પણ આ જ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે!”

ઉમર દરાજ ગોંડલ નામના યુઝરે લખ્યું, “લાહોરની ટીકા કરનારાઓ, મને કહો કે ઇસ્લામાબાદમાં આટલી મોટી માત્રામાં ગધેડાનું માંસ ક્યાં ખાવામાં આવે છે?”

સોશિયલ મીડિયા, યુઝર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, ScreenGrab

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા પર પણ આ ઘટના અંગે યુઝરોએ પ્રતિક્રિયા આપી હતી

એક યુઝરે લખ્યું, “લાહોર માટે ડિલિવરી અહીંથી થતી હોય તેવું લાગે છે,” જેના જવાબમાં એક સોશિયલ મીડિયા યુઝરે જવાબ આપ્યો, “વાસ્તવિક શિપમેન્ટ ઇસ્લામાબાદમાં જ છે.”

પત્રકાર હામિદ મીરે લખ્યું, “શું આટલા બધા ગધેડાની કતલ કરવામાં આવી કે તે મૃત ગધેડા હતા? કૃપા કરીને એ પણ શોધો કે ગધેડાનું માંસ કયા બજારોમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું અને કયા રેસ્ટોરાંમાં તેના કબાબ તૈયાર કરવામાં આવી રહ્યા હતા?”

ઝફર નકવી નામના યુઝરે માંગણી કરતા લખ્યું, “ઇસ્લામાબાદથી ગધેડાનું માંસ નિકાસ થઈ રહ્યું છે, ગધેડાની પણ નિકાસ થઈ રહ્યી છે. પ્રશ્ન એ છે કે આ માંસનો ઉપયોગ વિવિધ હોટલોમાં ક્યારથી થઈ રહ્યો છે?”

“બીજો પ્રશ્ન એ છે કે, કઈ હોટલોમાં આ ચાલી રહ્યું હતું? વહીવટતંત્ર ક્યાં હતું? આ ધંધામાં કોણ કોણ સામેલ છે? આ બધું જનતાને કહેવું જોઈએ. ઓછામાં ઓછું આવી હોટલોને તાત્કાલિક રીતે બંધ કરવી જોઈએ.”

પાકિસ્તાનથી નિકાસ અને ચીનમાં ગધેડાનાં ચામડામાંથી બનેલી દવા

થોડા મહિના પહેલાં નૅશનલ ઍસેમ્બલીની ખાદ્ય અને સુરક્ષા પરની સ્થાયી સમિતિની બેઠકમાં ખાદ્ય અને સુરક્ષા મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે, ગ્વાદરમાં ગધેડાનું કતલખાનું બનાવવામાં આવ્યું છે અને તેમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે.

ખાદ્ય મંત્રાલયના અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું હતું કે, ગધેડાનું ચામડું અને હાડકાં અંગે ચીન સાથે એક કરાર થયો છે, જેના માટે એક ચીની કંપની ગ્વાદરમાં કામ કરશે.

પાકિસ્તાન બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આ વર્ષે પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, ગયા વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા 5.938 મિલિયનથી વધીને 6.047 મિલિયન (6 મિલિયનથી વધુ) થઈ છે.

2017 ના એક અહેવાલ મુજબ પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં ખુલાસો કર્યો હતો કે છેલ્લાં ચાર વર્ષમાં લગભગ 150,000 ગધેડાનાં ચામડા વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવ્યા છે, જેનાથી લાખો રૂપિયાના વિદેશી હૂંડિયામણની આવક થઈ છે.

એપ્રિલમાં સંઘીય મંત્રી રાણા તનવીર હુસૈને કહ્યું હતું કે, ગ્વાદરમાં ફાર્મ સ્થાપીને ગધેડાના માંસનો ચીન સાથે વેપાર કરવામાં આવશે, જેનાથી પાકિસ્તાની નિકાસમાં પણ વધારો થશે.

ગધેડાની ચામડામાંથી મળતા જિલેટીનમાંથી બનેલી દવાઓની ચીનમાં ખૂબ માંગ છે. આ દવાને ચીનમાં ‘આઈજિયાઓ’ તરીકે ઓળખાય છે.

આ દવામાં આરોગ્ય સુધારનાર, સુંદરતા વધારનાર અને ‘યુવાની જાળવી રાખનાર’ ગુણધર્મો હોવાનો દાવો કરવામાં આવે છે.

ગધેડાના ચામડાને ઉકાળીને ‘જિલેટીન’ બનાવવામાં આવે છે અને દવાને પાવડર, ગોળીઓ અથવા પ્રવાહી સ્વરૂપમાં બનાવવામાં આવે છે.

ગધેડાના ચામડાના વિવાદાસ્પદ વેપાર સામે ઝુંબેશ ચલાવનારાઓ કહે છે કે ગધેડા આ દવાની વધતી જતી લોકપ્રિયતાનો ભોગ બની રહ્યા છે.

2017થી ગધેડાના ફરના વેપાર સામે સક્રિય બ્રિટિશ ચેરિટી ધ ડૉન્કી સેન્કચ્યુરીના અહેવાલ મુજબ અંદાજિત વિશ્વભરમાં દર વર્ષે ઓછામાં ઓછા 59 લાખ ગધેડાને તેમના ફર માટે મારી નાખવામાં આવે છે.

સંગઠનનું કહેવું છે કે ગધેડાઓની માંગ સતત વધી રહી છે. બીબીસી સ્વતંત્ર રીતે આ આંકડાઓની પુષ્ટિ કરી શક્યું નથી.

ચીનમાં ડ્રગ ઉદ્યોગને સપ્લાય કરવા માટે કેટલા ગધેડા મારવામાં આવે છે તેની માહિતી મેળવવી અત્યંત મુશ્કેલ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

Google search engine
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Recent Posts