Home Gujarati સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત વકીલ દુષ્યંત દવેએ વકીલાત કેમ છોડી દીધી? હવે તેઓ...

સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત વકીલ દુષ્યંત દવેએ વકીલાત કેમ છોડી દીધી? હવે તેઓ શું કરશે?

16
0

[ad_1]

દુષ્યંત દવે, બીબીસી, ગુજરાતી, સુપ્રીમ કોર્ટ, ન્યાયાલય, ન્યાયતંત્ર

ઇમેજ સ્રોત, BBC Hindi/Shaad Midhat

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવે

“છેલ્લાં 20-30 વર્ષોમાં હું જોઈ રહ્યો છું કે ભારતની ન્યાયપાલિકાની સ્થિતિ દિવસે-દિવસે કથળી રહી છે. જ્યારે 1978માં મેં વકીલાત શરૂ કરી હતી ત્યારે ન્યાયપાલિકા સ્વતંત્ર હતી. આ માહોલ ધીમે-ધીમે બગડી રહ્યો છે.”

“હાલ પણ કેટલાક સારા જજ છે. પણ આવા જજ ગણ્યાગાંઠ્યા છે. આવા વાતાવરણમાં 48 વર્ષો બાદ વકીલાત ચાલુ રાખવામાં કોઈ આનંદ નથી.”

આ શબ્દો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્ચંત દવેના છે.

સામાન્ય રીતે વકીલ નિવૃત નથી થતા પણ દુષ્યંત દવેએ નિવૃત થવાનો નિર્ણય કેમ કર્યો?

કેટલાક દિવસો પહેલાની વાત છે. પોતાના 70માં જન્મદિવસની ઉજવણી બાદ દુષ્યંત દવેએ વકીલાત છોડવાનો નિર્ણય કર્યો હતો.

અમારા સંવાદદાતા ઉમંદ પોદ્દારે એમની પાસેથી ઘણા સવાલના જવાબ જાણવાની કોશિશ કરી. આ સવાલોમાં તેમની કૅરિયર અને ન્યાયપાલિકા સાથે જોડાયેલા ઘણા મુદ્દા સામેલ હતા.

દુષ્યંત દવે ભારતની સુપ્રીમ કોર્ટના એ વરિષ્ઠ વકીલો પૈકીના એક છે જેમણે હાઈપ્રોફાઇલ કેસો લડ્યા છે જેમાં 2જી-સ્પેકટ્રમ કૌભાંડ, વ્યાપમ કૌભાંડ, કલમ-370 હટાવવા સામેની પિટિશન, વગેરે કેસો સામેલ છે.

તેઓ ત્રણ વાર સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સરકાર અને ન્યાયપાલિકાની કાર્યપ્રણાલીના તેઓ પ્રખર આલોચક પણ રહ્યા છે.

વકીલાત છોડવાના નિર્ણય અંગે એમનું કહેવું છે કે આની પાછળ એક નહીં પરંતુ અનેક કારણો છે.

એમના ઘણા શોખ છે. તેઓ હવે પોતાના શોખને સમય આપવા માગે છે. જેમકે સંગીત સાંભળવું, પુસ્તકો વાંચવા, ગોલ્ફ રમવું અને પરિવાર સાથે સમય પસાર કરવો…

અહીં પ્રસ્તુત છે બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દારની દુષ્યંત દવે સાથે થયેલી વાતચીતના કેટલાક અંશ

સવાલ ન્યાયપાલિકાની સ્વતંત્રતાનો

દુષ્યંત દવે, બીબીસી, ગુજરાતી, સુપ્રીમ કોર્ટ, ન્યાયાલય, ન્યાયતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે અમે તેમને પૂછ્યું કે શું તેમને લાગે છે કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ઓછી થઈ છે? તો દુષ્યંત દવેએ કહ્યું, “આની પાછળ ઘણાં કારણો છે.”

એમનું માનવું છે કે ભારતની કોર્ટમાં કેસની સંખ્યા ખૂબ છે.

તેઓ કહે છે કે, “આજે ભારતમાં પાંચ કરોડથી વધુ કેસ પૅન્ડિંગ છે. આ બધા કેસને અત્યારની ઝડપે નિકાલ લાવીએ તો 50-100 વર્ષ લાગી શકે એમ છે.”

“આપણે સારા જજોની નિયુક્તિ નથી કરી શકતા, પરિણામે ન્યાયપાલિકાની ક્ષમતા ઓછી થઈ છે.”

એમણે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ઓછી હોવાનાં બે ઉદાહરણો આપ્યાં.

તેઓ કહે છે કે “એક તરફ અદાલતો સરકારની વિરુદ્ધ ચુકાદાઓ ઓછા આપી રહી છે જ્યારે બીજી બાજુ વર્ષોથી જેલમાં બંધ લોકોને જામીન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.”

તેઓ કહે છે, “આવું ઇંદિરા ગાંધીના સમયમાં પણ અમે જોયું હતું. જ્યારે જ્યારે એક મજબૂત વડા પ્રધાન દેશમાં આવે છે ત્યારે ન્યાયપાલિકા પર દબાણ વધે છે.”

તેમનું કહેવું છે કે હાલના ગણા મુખ્ય ન્યાયધીશોના કાર્યકાળમાં સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ જીતતી ગઈ.

આ સાથે એમણે એવા કેસનો હવાલો આપ્યો જેના ચુકાદાથી તેઓ નિરાશ થયા હતા. જેમકે, બાબરી મસ્જિદ રામજન્મભૂમિ કેસ, રફાલ ફાઇટર વિમાનોની ખરીદ, ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સત્તાઓનો કેસ અને કેટલાક અન્ય કેસ.

જ્યારે અમે દુષ્યંત દવેને પૂછ્યું કે જજ તો એમ કહે છે કે એમના પર કોઈ દબાણ નથી. જજો સામાન્ય રીતે એવું કહે છે કે સરકાર વિરુદ્ધ ચુકાદા નથી આપતા, આ કારણ માત્રથી તેમની આલોચના ન થવી જોઈએ.

આ અંગે દુષ્યંત દવેનું કહેવું હતું કે “એમના પ્રમાણે ઘણા એવા કેસ હતા જેમાં કોર્ટનો નિર્ણય સરકાર વિરુદ્ધ આવવો જોઈતો હતો પરંતુ આવું થયું નહીં.”

આ કેસમાં એમણે દિલ્હીનાં તોફાનો, ભીમા કોરેગાંવની હિંંસા સાથે જોડાયેલા કેસ પણ ગણાવ્યા. આ કેસના કેટલાય આરોપીઓ વર્ષોથી જેલમાં બંધ છે અને કેસ શરૂ પણ નથી થયો.

દવેના મત પ્રમાણે આવા કેસ એક સ્વતંત્ર ન્યાયપાલિકા સામે આવ્યા હોત તો આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હોત.

દુષ્યંત દવે, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC Hindi/Shaad Midhat

ઇમેજ કૅપ્શન, દુષ્યંત દવે પોતાનો લખેલો એક લેટર બતાવતા નજરે પડે છે.

જજ બ્રિજગોપાલ લોયા મહારાષ્ટ્રના એક જજ હતા. એમનું મૃત્યુ 2014માં થયું હતું. એ સમયે તેઓ અમિત શાહની સામે એક કેસની સુનાવણી કરી રહ્યા હતા. જજ લોયાનાં મૃત્યુ સાથે જોડાયેલી એક પિટિશનમાં દુષ્યંત દવેએ દલીલ કરી હતી.

આ પિટિશનમાં સુપ્રીમ કોર્ટ પાસે જજ લોયાનાં મૃત્યુ અંગે એક સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી ન હતી.

દુષ્યંત દવે પ્રમાણે આપણા લોકતંત્રના ઇતિહાસમાં આ કેસ સૌથી દુ:ખદ ઘટનાઓમાંનો એક હતો.

તેઓ કહે છે, ”ન્યાયપાલિકા બિલકુલ સારું કામ કરતી નથી એવું પણ નથી. જ્યાં સુધી બે નાગરિકોની વચ્ચેનો મામલો છે ત્યાં સુધી ન્યાયપાલિકા કામ કરી રહી છે પરંતુ દુષ્યંત દવે માને છે કે “લોકોનો સૌથી મોટો મુદ્દો સરકાર સાથે રહે છે.”

એમણે કહ્યું, “જો આવા મામલે ન્યાયપાલિકા પોતાની સ્વતંત્રતા દાખવી નથી રહી તો ન્યાયપાલિકા સારું કામ કરી રહી છે એમ કહેવું અયોગ્ય રહેશે.”

કોર્ટની આલોચના

દુષ્યંદ દવે, કોર્ટ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Manthan

ઇમેજ કૅપ્શન, દુષ્યંત દવે કહે છે કે કોર્ટની આલોચના બદલ એમને કોઈ વળતી પ્રતિક્રિયા નથી મળી.

અમે દુષ્યંત દવે પાસેથી જાણવા માગતા હતા કે આટલા લાંબા સમયથી કોર્ટની આલોચના કરવાથી એમની પ્રૅક્ટિસ-આવક પર કોઈ અસર થઈ છે ખરી?

એમણે આ વાતનો બહુ ખુલીને જવાબ ન આપ્યો.

એમણે કહ્યું, “આમાં બહુ પડવાની જરૂર નથી. મેં 250 રૂપિયાથી પ્રૅક્ટિસ શરૂ કરી હતી અને આ પછી ભગવાને મને ઘણું જ આપ્યું છે. ગુજરાતમાં હું 20 વર્ષો સુધી હું સૌથી વધું ટૅક્સ ચૂકવનારો પ્રોફેશનલ હતો.”

જોકે, એમણે આ સાથે એ પણ ઉમેર્યુ કે “જ્યાં સુધી તમે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા માટે તૈયાર નથી, ત્યાં સુધી તમે દેશ માટે કામ કરી શકતા નથી.”

દાયકાઓથી વકીલાત કરતા દુષ્યંત દવેએ કેટલાક કિસ્સા જણાવતા કહ્યું, “એવું નથી કે મારી પાસે પૈસા આવી ગયા પછી હું બોલવા લાગ્યો. હું 30 વર્ષોથી જજો સાથે લડી રહ્યો છું.”

“કેટલાય એવા જજ હશે કે જેમની ગેરવર્તણૂકને કારણે મેં એમની સામે પેશ થવાનું બંધ કરી દીધું હતું. આ યાદીમાં ભારતના એક પૂર્વ ચીફ જસ્ટીસ પણ સામેલ છે પણ હું કોઈનું નામ લેવા માગતો નથી.”

એમણે એ પણ કહ્યું, “મારી આલોચનાને કારણે મને કોઈ પણ પ્રકારનો વળતો જવાબ મળ્યો નથી.”

આજે એવું કેમ છે કે બહુ ઓછા વકીલ નિખાલસતાથી કોર્ટની આલોચના કરે છે. આ સવાલ અંગે દુષ્યંત દવેએ કહ્યું, “પહેલાના જમાનામાં એવા વકીલ હતા કે જેઓ સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા. પણ આજે કોઈ ત્યાગ આપવા માટે તૈયાર નથી. બધા એમ વિચારે છે કે જો હું આજે કશું બોલીશ તો મારા પર ન જાણે શું આફત આવી પડશે.”

એમનું માનવું છે કે, “આજે લોકોની વિચારવાની ક્ષમતા અને નૈતિક સાહસને ખતમ કરી નાખવામાં આવી રહ્યું છે. એવી સ્થિતિ નિર્માણ પામી છે કે લોકોને લાગે છે કે ઠીક છે…બીજો માણસ જેલ જઈ રહ્યો છે..મારે શું?”

ન્યાયાધીશો પર અભિપ્રાય

એનવી રમન્ના, પૂર્વ ચીફ જસ્ટીસ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પૂર્વ ચીફ જસ્ટીસ એનવી રમન્ના

દુષ્યંત દવેએ તાજેતરના ઘણા મુખ્ય ન્યાયાધીશોની ટીકા કરી છે.

જોકે, ઑગસ્ટ 2022 માં જ્યારે મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના નિવૃત્ત થઈ રહ્યા હતા, ત્યારે કોર્ટમાં દુષ્યંત દવેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. આ દૃશ્ય ઘણા માટે આશ્ચર્યજનક હતું.

દુષ્યંત દવેએ કહ્યું કે, “જસ્ટિસ એનવી રમન્નાના કાર્યકાળની તેમની ઘણી આલોચનાઓ છે. તેમણે કહ્યું, “દિલ્હીના જહાંગીપુરીમાં બુલડોઝર દ્વારા લોકોનાં ઘર તોડી પાડવામાં આવી રહ્યાં હતાં ત્યારે હું કોર્ટમાં હતો.”

“મેં કોઈ પણ અરજી વિના જ જસ્ટિસ રમન્નાને મૌખિક વિનંતી કરી હતી કે તમે આ અટકાવો. તેમણે તરત જ બુલડોઝર કામગીરી અટકાવી દીધી. આ જ કારણ હતું કે હું એમની નિવૃત્તિ પર ભાવુક થઈ ગયો હતો.”

અદાલતોમાં ભ્રષ્ટાચાર અંગે એમનું શું કહેવું છે?

હાલમાં જ દિલ્હી હાઇકોર્ટના પૂર્વ જજ અને અલ્હાબાદ હાઇકોર્ટના વર્તમાન જજ જસ્ટિસ યશવંત વર્માના ઘરે કથિત રીતે મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હતી.

એમની સામે 200થી વધુ સાંસદોએ મહાભિયોગ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

સામાન્ય લોકો વચ્ચે ન્યાયાલયોમાં ભ્રષ્ટાચારની ચર્ચા થાય છે.

અમે દુષ્યંત દવેને પુછયું કે, “શું તેમણે પોતાની સામે ક્યારેય ભ્રષ્ટાચાર જોયો કે એમના વિશે સાંભળ્યું છે?”

એમનો જવાબ હતો કે, “મેં ઘણું સાંભળ્યું છે અને ઘણું જોયું છે પરંતુ એની ચર્ચા અહીં ન કરી શકાય.”

એમણે આ અંગે કોઈ ઉદાહરણ આપવાની ના પાડી દીધી. પણ કહ્યું, “ભ્રષ્ટાચારનાં ઘણાં રૂપ હોય છે. ક્યારેક લોકો પૈસા લઈને ભ્રષ્ટાચાર કરે છે. ક્યારેક વિચારોથી, ક્યારેક લોભ માટે અને ક્યારેક પોતાના પરિવારના ફાયદા માટે.”

“મેં આ બધું જ હાઇકોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં જોયું છે…એક નહીં સેંકડો જજોને ભ્રષ્ટાચાર આચરતા જોયા છે.”

તેઓ ઉમેરે છે, “મારા ખુદના ઘણા અનુભવો છે. મારા ઘણા કેસોમાં મને અચરજ થયું છે કે આ કેસમાં હું હારી કેવી રીતે ગયો? અને ઘણા મામલે નવાઈ પણ લાગી કે જેમાં હું હારવાને બદલે જીતી ગયો હતો. ઘણીવાર નીચેના વકીલો શું કરે છે એ વરિષ્ઠ વકીલોને ખ્યાલ પણ નથી હોતો.”

એમણે કહ્યું, “એવા પણ કેટલાય જજ છે જેના પર કોઈ પણ પ્રકારના પ્રલોભનની અસર થતી નથી.”

એમના કહેવા પ્રમાણે વકીલ અને બાર ઍસોસિયેશન જેવી વકીલોની સંસ્થા પણ આ અંગે ખુલીને વાત કરતી નથી. આ કારણે અમીરો અને પ્રભાવશાળી લોકોને ફાયદો થાય છે અને ગરીબ લોકો પાછળ રહી જાય છે.

આગળની જિંદગી કેવી હશે?

વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ભવિષ્યમાં સમાજ માટે પણ કામ કરવા માંગે છે.

જ્યારે અમે તેમને પૂછ્યું કે શું તેઓ ક્યારેય રાજકારણમાં જોડાશે, ત્યારે તેમણે કહ્યું, “મારો સ્વભાવ જોતા હું રાજકારણમાં એક દિવસ પણ ટકી ન શકું.”

“મને એક વાર રાજ્યસભાના સાંસદ બનવાની અને એક વાર હાઇકોર્ટના જજ બનવાની તક મળી હતી… પરંતુ મેં બંનેમાંથી કોઈનો પણ સ્વીકાર કર્યો ન હતો.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here